મહા કુંભઃ નાગા સાધુઓ અને ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન, તસવીરો
આખી દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે જાણીતો કુંભનો મેળો શરૂ થવાના આરે છે જેની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઇ છે. આ મેળો હંમેશથી દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે નાગા સાધુ તો આવે જ છે સાથે સાથે દુનિયાભરના પ્રવાસીઓ પણ આ મેળામાં સહર્ષ ઉમટી પડે છે. કુંભનો મેળો 12 વર્ષમાં માત્ર એક વખત જ થાય છે. કુંભનો મેળો એકમાત્ર એવો મેળો છે જ્યાં કોઇ નદીમાં ડૂબકી લગાવીને પવિત્ર થવા, તો કોઇ ધાર્મિક કાર્ય કરવા માટે, તો કોઇ આ મેળામાં આનંદ માણવા માટે અત્રે ઉમટી પડે છે.
કુંભનો મેળો ઇલાહાબાદમાં આવેલા સંગમ તટ પર થાય છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ અને પોષ પૂર્ણિમાંના દિવસે અત્રે સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તી થાય છે. માટે આ દિવસે અહીં સ્નાન કરવા માટે દુનિયાભરમાંથી તિર્થયાત્રીઓ આવે છે અને પૂણ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ મેળો એક માસ સુધી ચાલતો રહે છે.
ઉત્તરપ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટ ઉમટેલા સામાન્ય ભક્તો અને શ્રદ્ધાળુઓને અલ્હાબાદમાં વિવિધ અખાડાઓના નાગા બાવાઓના જુદા જુદા સ્વરૂપો જોવા મળ્યા હતા. અહીં કુંભના મેળામાં સ્નાન લઇ રહેલા નાગા સાધુઓ અને ભક્તોની તસવીરો રજુ કરવામાં આવી છે.

મહા કુંભમાં સાધુ
અલ્હાબાદ ખાતે મહા કુંભમાં આવેલા સાધુ.

પ્રભુને પ્રાર્થના કરતી મહિલાઓ
મહા કુંભ મેલામાં સંગમ તટે સ્નાન પૂર્ણ કર્યા બાદ પ્રાર્થના કરી રહેલી મહિલાઓ.

મહા કુંભમાં શિલ્પા શેટ્ટી
મહા કુંભ ઉત્સવ દરમિયાન ઉદ્યોગપતિ જીપી હિન્દુજા અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હવનમાં ભાગ લીધો હતો.

નાગા સાધુઓનં વિશેષ સ્નાન
કુંભ મેળાની શરૂઆતે મકર સંક્રાન્તિના દિવસે નિર્મળ અખાડાના નાગા સાધુઓ દ્વારા વિશેષ સ્નાન કરવામાં આવ્યું હતુ.

ત્રિવેણી સંગમમાં સ્નાન
ગંગા, યમુના અને સરસ્વતિના ત્રિવેણી સંગમ ખાતે મકર સંક્રાન્તિના દિવસે મોટી સંખ્યમાં ભક્તો એકઠા થયા હતા અને સ્નાન કર્યું હતું.

જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા સ્નાન
ત્રિવેણી સંગમ ખાતે જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાન્તિના દિવસે કરવામાં આવતું આ તેમનું પ્રથમ સ્નાન છે.

સાધુનું શાહી સ્નાન
મકર સંક્રન્તિના દિવસે કુંભ મેળામાં સાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
