મહા કુંભઃ નાગા સાધુઓ અને ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન, તસવીરો
આખી દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે જાણીતો કુંભનો મેળો શરૂ થવાના આરે છે જેની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઇ છે. આ મેળો હંમેશથી દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે નાગા સાધુ તો આવે જ છે સાથે સાથે દુનિયાભરના પ્રવાસીઓ પણ આ મેળામાં સહર્ષ ઉમટી પડે છે. કુંભનો મેળો 12 વર્ષમાં માત્ર એક વખત જ થાય છે. કુંભનો મેળો એકમાત્ર એવો મેળો છે જ્યાં કોઇ નદીમાં ડૂબકી લગાવીને પવિત્ર થવા, તો કોઇ ધાર્મિક કાર્ય કરવા માટે, તો કોઇ આ મેળામાં આનંદ માણવા માટે અત્રે ઉમટી પડે છે.
કુંભનો મેળો ઇલાહાબાદમાં આવેલા સંગમ તટ પર થાય છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ અને પોષ પૂર્ણિમાંના દિવસે અત્રે સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તી થાય છે. માટે આ દિવસે અહીં સ્નાન કરવા માટે દુનિયાભરમાંથી તિર્થયાત્રીઓ આવે છે અને પૂણ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ મેળો એક માસ સુધી ચાલતો રહે છે.
ઉત્તરપ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટ ઉમટેલા સામાન્ય ભક્તો અને શ્રદ્ધાળુઓને અલ્હાબાદમાં વિવિધ અખાડાઓના નાગા બાવાઓના જુદા જુદા સ્વરૂપો જોવા મળ્યા હતા. અહીં કુંભના મેળામાં સ્નાન લઇ રહેલા નાગા સાધુઓ અને ભક્તોની તસવીરો રજુ કરવામાં આવી છે.

મહા કુંભમાં સાધુ
અલ્હાબાદ ખાતે મહા કુંભમાં આવેલા સાધુ.

પ્રભુને પ્રાર્થના કરતી મહિલાઓ
મહા કુંભ મેલામાં સંગમ તટે સ્નાન પૂર્ણ કર્યા બાદ પ્રાર્થના કરી રહેલી મહિલાઓ.

મહા કુંભમાં શિલ્પા શેટ્ટી
મહા કુંભ ઉત્સવ દરમિયાન ઉદ્યોગપતિ જીપી હિન્દુજા અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હવનમાં ભાગ લીધો હતો.

નાગા સાધુઓનં વિશેષ સ્નાન
કુંભ મેળાની શરૂઆતે મકર સંક્રાન્તિના દિવસે નિર્મળ અખાડાના નાગા સાધુઓ દ્વારા વિશેષ સ્નાન કરવામાં આવ્યું હતુ.

ત્રિવેણી સંગમમાં સ્નાન
ગંગા, યમુના અને સરસ્વતિના ત્રિવેણી સંગમ ખાતે મકર સંક્રાન્તિના દિવસે મોટી સંખ્યમાં ભક્તો એકઠા થયા હતા અને સ્નાન કર્યું હતું.

જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા સ્નાન
ત્રિવેણી સંગમ ખાતે જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાન્તિના દિવસે કરવામાં આવતું આ તેમનું પ્રથમ સ્નાન છે.

સાધુનું શાહી સ્નાન
મકર સંક્રન્તિના દિવસે કુંભ મેળામાં સાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
