પાક.થી આવ્યું કબૂતર, સંદેશમાં કહ્યું ભારત સાથે લડવા તૈયાર!
પંજાબ સ્થિત પઠાણકોટમાં બમિયાલ સેક્ટરની સિંબલ ચૌકી પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. આ ક્બૂતરને બીએસએફે પોતાના કબ્જામાં લઇ લીધું છે. ત્યારબાદ તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યું.
બારામુલા કેમ્પ પર થયેલા હુમલા સાથે જોડાયેલી 7 મહત્વની ખબર
પ્રાપ્ત માહિતી મુજબ આ કબૂતર સીમાપારથી આવ્યું છે. કબૂતર પાસે ઉર્દૂમાં લખેલો પત્ર મળ્યો છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયો છે. કબૂતર પાસેથી મળેલ કાગળ પર ઉર્દૂમાં લખેલ સંદેશમાં લખ્યું છે કે, " મોદીજી, અમને 1971 (ભારત-પાક. યુદ્ધ) ના સમયના ન સમજશો. હવે દરેક બાળક ભારત વિરુદ્ધ લડવા તૈયાર છે."
નાના પાટેકરે પાક કલાકારોના ભારતમાં કામ કરવા પર કર્યા પ્રહાર
પઠાણકોટ સ્થિત નારોટ જયમાલસિંહ પોલીસ સ્ટેશનના અધિક્ષક રમેશકુમારે જાણકારી આપી કે, " જ્યારે કબૂતર મળ્યુ ત્યારે તેની પાસે આ પત્ર પણ હતો. મામલાની તપાસ ચાલી રહી છે." આ પહેલા શનિવાર ( 1 ઓક્ટોબર) ના દિવસે હવામાં છોડેલા ફૂગ્ગાઓ મળ્યા હતા. ફૂગ્ગાઓ પર ઉર્દૂમાં લખેલ કાગળો ચોંટાડેલ હતા. આ કાગળો પર લખ્યું હતું કે, " મોદીજી અયૂબની તલવારો હજુ અમારી પાસે છે, ઇસ્લામ ઝિંદાબાદ."