Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મમતા સરકાર પર વરસ્યા પીયૂષ ગોયલ

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મમતા સરકાર પર વરસ્યા પીયૂષ ગોયલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, એવામાં રાજનૈતિક પાર્ટીઓ એકબીજા પર ખુબ આરોપો લગાવી રહી છે. રવિવારે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ભાજપી નેતા પીયૂષ ગોયલે મમતા બેનરજીની પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે મમતા સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો. ગોયલે કહ્યું કે, 'પુરુલિયામાં જેવી રીતે તુષ્ટિકરણની રાજનીતિ રહી, જે પ્રકારની રાજનૈતિક હિંસા અહીં પાછલા કેટલાક વર્ષોથી જોવા મળી તે નિંદનીય છે. પછી તે વામપંથી હોય કે ટીએમ બંનેએ તાનાશાહ ચલાવી છે. રાજનૈતિક હિંસા પર તેમની સરકાર ટકી રહી.'

piryush goyal

તેમણે આગળ કહ્યું કે, થોડા દિવસો પહેલાં રાજ્યના સીએમે એક કાર્યક્રમમાં બોલવાનો એટલા માટે ઈનકાર કરી દીધો હતો કેમ કે ત્યાં કેટલાક લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. શું જય શ્રી રામ બોલવું ખોટું છે? ભાજપી નેતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ એકમાત્ર એવું રાજ્ય હશે જ્યાં દુર્ગા મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ વખતેની ચૂંટણી પશ્ચિમ બંગાળની દશા અને દિશા બદલતી ચૂંટણી છે. મમતા સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે રાજ્યમાં એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ અહીં મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે અને તેમના પર અત્યાચાર થઈ રહ્યા છે.

મહિલાઓ પર થતા અત્યાચારને ખતમ કરી શકાય તે માટે રાજ્યની પોલીસ ફોર્સમાં ભાજપ 9 બટાલિયન પૂરી રીતે મહિલાઓની બનાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X