રાજનાથસિંહ સહિત સુષમા સ્વરાજ અને અરુણ જેટલીનો આબાદ બચાવ

બીજેપી નેતા બેંગલોરમાં એક રૈલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા કે અચાનક વિમાનના ઓટો પાયલટ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે તેને અડધેથી જ પરત ફરવું પડ્યું. પાયલટે દિલ્હી એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. સમાચાર અનુસાર રાજનાથસિંહના ખાનગી વિમાનમાં આ ત્રણેય દિગ્ગજ નેતાઓ બેંગ્લોર જઇ રહ્યા હતા, ઇમરજન્સી લેન્ડિંગ બાદ યાત્રા રદ કરી આ ત્રણેય નેતાઓ સુરક્ષિત છે.
હાલમાં ત્રણેય બીજેપી નેતા સુરક્ષિત હતા અને તેઓ હવાઇ મથકથી પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયા. વિમાનમાં આવેલી ટેકનીકલી ખામી બાદ પાયલટની સાવધાનીના કારણે એક મોટી ઘટના ઘટતા બચી ગઇ.
કર્ણાટક ચૂંટણીને પગલે આ ત્રણેય નેતા બેંગલોરમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા, આ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી. જેના પગલે તેમની કર્ણાટક યાત્રા મોકૂફ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
