Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજનાથસિંહ સહિત સુષમા સ્વરાજ અને અરુણ જેટલીનો આબાદ બચાવ

rajnath singh
નવી દિલ્હી, 8 એપ્રિલ: બીજેપી પાર્ટી પ્રમુખ રાજનાથસિંહના વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. સમાચાર અનુસાર દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. બીજેપી પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની સાથે બીજેપી નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલી પણ હાજર હતા.

બીજેપી નેતા બેંગલોરમાં એક રૈલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા કે અચાનક વિમાનના ઓટો પાયલટ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે તેને અડધેથી જ પરત ફરવું પડ્યું. પાયલટે દિલ્હી એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. સમાચાર અનુસાર રાજનાથસિંહના ખાનગી વિમાનમાં આ ત્રણેય દિગ્ગજ નેતાઓ બેંગ્લોર જઇ રહ્યા હતા, ઇમરજન્સી લેન્ડિંગ બાદ યાત્રા રદ કરી આ ત્રણેય નેતાઓ સુરક્ષિત છે.

હાલમાં ત્રણેય બીજેપી નેતા સુરક્ષિત હતા અને તેઓ હવાઇ મથકથી પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયા. વિમાનમાં આવેલી ટેકનીકલી ખામી બાદ પાયલટની સાવધાનીના કારણે એક મોટી ઘટના ઘટતા બચી ગઇ.

કર્ણાટક ચૂંટણીને પગલે આ ત્રણેય નેતા બેંગલોરમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા, આ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી. જેના પગલે તેમની કર્ણાટક યાત્રા મોકૂફ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X