પીએમ મોદીએ સરપંચો સાથે વાત કરીને કહ્યુ, ગ્રામજનોએ દુનિયાને 'બે ગજના અંતર'નો મંત્ર આપ્યો
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે પંચાયત પ્રતિનિધિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે પંચાયત પ્રતિનિધિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. પીએમે કહ્યુ કે એક એ સમય પણ હતો જ્યારે દેશની સોથી પણ ઓછી પંચાયતો બ્રૉડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રૉડબેન્ડ પહોંચી ચૂક્યુ છે. એટલુ જ નહિ, ગામોમાં કૉમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ 3 લાખને પાર કરી ગઈ છે. કોરોના સંકટે પોતાનો સૌથી મોટો સંદેશ, પોતાનો સૌથી મોટો સબક આપણને આપ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવુ પડશે. ગામ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને, જિલ્લા પોતાના સ્તરે રાજ્ય પોતાના સ્તરે અને આ રીતે આખો દેશ આત્મનિર્ભર બને, હવે આ બહુ જરૂરી બની ગયુ છે.

પીએમ મોદીએ કહ્યુ આ દરમિયાન કહ્યુ કે આ કોરોના સંકટે બતાવી દીધુ છે કે દેશના ગામોમાં રહેતા લોકો, આ દરમિયાન તેમણે પોતાના સંસ્કારો, પોતાની પરંપરાઓના શિક્ષણના દર્શન કરાવ્યા છે. ગામોથી જે અપડેટ આવી રહી છે તે મોટા મોટા વિદ્વાનો માટે પણ પ્રેરણા આપનારી છે. તમે બધાએ દુનિયાને મંત્ર આપ્યો છે - બે ગજનુ અંતર, અથવા કહો, બે ગજ દેહનુ અંતર. આ મંત્રના પાલનનુ ગામોમાં બહુ જ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આ તમારા જ પ્રયાસ છે કે આજે દુનિયામાં ચર્ચા થઈ રહી છે કે કોરોનાનો ભારતે કઈ રીતે જવાબ આપ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આટલુ મોટુ સંકટ આવ્યુ, આટલી મોટી વૈશ્વિક મહામારી આવી પરંતુ આ 2-3 મહિનામાં આપણે એ પણ જોયુ કે ભારતનો નાગરિક, સીમિત સંશાધનો વચ્ચે, અનેક મુશ્કેલીઓ સામે ઝૂકવાના બદલે તેમની સામે ટકરાઈ રહ્યો છે, ટક્કર આપી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આ સાચુ છે કે અડચણો આવી રહી છે, મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ સંકલ્પનુ સામર્થ્ય બતાવીને, નવી ઉર્જા સાથે આગળ વધીને, નવી નવી રીતો શોધીને, દેશને બચાવવા અને દેશને આગળ વધારવાનુ કામ પણ નિરંતર ચાલુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
