મોદીએ પરિવારવાદ અને ભાઇ-ભત્રીજાવાદ પર કર્યા પ્રહાર
હિસાર,6 ઓક્ટોબર: હરિયાણાના હિસારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે વોટ મેળવવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં સોમવારે પરિવારવાદ, ભાઇ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતાં લોકો પાસે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવાની અપેલ કરી.
હિસારમાં ભાજપની રેલી સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે હરિયાણાની જનતાએ ક્યારેય તે સરકાર જોઇ નથી જેમાં રાજકીય ખાનદાન અથવા પોતાના પરિવારની ઉપર કોઇ બીજા માટે વિચાર કર્યો હોય.
પરિવાદવાદમાંથી મુક્તિ
પરિવાદવાદમાંથી મુક્તિ માટે એકસાથે આગળ આવવું જોઇએ. આખા હરિયાણામાં પરિવારવાદ દરેક બાજુ ફેલાયેલ છે. સરકારથી માંડીને અધિકારી સુધી પરિવારની સેવામાં લાગેલા છે.
ખોટો પ્રચાર
- લોકો ખોટો પ્રચાર કરી રહ્યાં છે, લોકો જેલમાંથી શપથ લેવાના સપના જોઇ રહ્યાં છે, સરકાર બનાવવા માટે જેલમાં બંધ લોકોના સમર્થનની જરૂરિયાત નથી.
હુડ્ડાએ ચૂંટણી પહેલાં હાર સ્વિકારી
- કોગ્રેસ પાર્ટી કમળ વિના આગળ વધી શકતી નથી. કોંગ્રેસના નેતાઓએ આઠ વર્ષ સુધી હિન્દુસ્તાનમાં રાજ કર્યું છે, પરંતુ આજસુધી સરકારના કામોનો હિસાબ આપ્યો નથી. હુડ્ડાએ ચૂંટણી પહેલાં હાર સ્વિકારી લીધી છે.
જમાઇજીને કંઇ મળશે નહી
- ચૂંટણીના પરિણામો બાદ જમાઇજીને કંઇ મળશે નહી.
બે રેલવે લાઇન આપવાનો નિર્ણય
- રેલવે બજેટમાં હિસાર બે રેલવે લાઇન આપવાનો નિર્ણય ભાજપની સરકારે કર્યો, હિસારમાં એક નેશનલ હાઇવે બનાવવા માટે પહેલાં બજેટમાં જાહેરાત કરી છે.
અરબપતિ બનવાની રમત
- ટીવી સ્ક્રીન પર કૌન બનેગા કરોડપતિ રમત ચાલે છે પરંતુ હરિયાણા સરકારનો દરેક મંત્રી અરબપતિ બનવાની રમત રમી રહ્યો છો.
પંડિત નેહરુની જન્મ જયંતિ
- 14 નવેમ્બરના રોજ પંડિત નેહરુની જન્મ જયંતિના રૂપમાં ઉજવવામાં આવશે. ચાચા નહેરુના પ્યારા બાળકોને સફાઇ માટે પ્રેરિત કરવામાં આવશે.
સર્વજન સુખાય સર્વજન સુખાય
- અમે સર્વજન સુખાય સર્વજન સુખાયને લઇને ચાલનાર લોકો છીએ.
કોંગ્રેસ પાસે કોઇ કામ નથી
- પાંચ દિવસ સુધી વિદ્યાલયોના બાળકોને સફાઇના પાઠ ભણાવવા જોઇએ. કોંગ્રેસ પાસે કોઇ કામ નથી, એવામાં બાળકોને સફાઇનું શિક્ષણ આપવા માટે આગળ આવે.
સફાઇ પર પણ ધ્યાન આપવું પડશે.
- વાઇ-ફાઇની સાથે સફાઇ પર પણ ધ્યાન આપવું પડશે.
જમીનનું હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય
- ભારતની ધરતી જય જવાન જય કિસાનની ધરતી છે. ખેડૂતોના સુખી થવાથી ગામ સુખી થશે અને દેશનો વિકાસ થશે. ખેડૂતોના હિતોને ધ્યાન રાખતાં તેમની ખેતીને બનાવવા માટે જમીનનું હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
વન રેંક વન પેન્શનની જાહેરાત
- સરકાર બનતાં જ જવાનો માટે વન રેંક વન પેન્શન યોજનાની જાહેરાત કરી.
ચિંતાનો વિષય
- 1000 પુરૂષો સામે 870 મહિલાઓ ચિંતાનો વિષય છે. પુત્રીઓને માતાના ગર્ભમાં મરવા દઇશું નહી. માતા-બહેન પર અત્યાચાર કરીને કોઇપણ સમાજનો વિકાસ થઇ ન શકે.
દેશ પર બાહુબલીઓનું રાજ ન હોવું જોઇએ
- દેશ પર બાહુબલીઓનું રાજ ન હોવું જોઇએ. આખી દુનિયા હિન્દુસ્તાન સાથે વાત કરવા માંગે છે, આ પૂર્ણ બહૂમતને સરકાર ચાલતાં શક્ય થયું છે.
મને સેવાની તક આપો
- હરિયાણાના વિકાસ માટે પૂર્ણ બહૂમતવાળી સરકારની જરૂરિયાત છે. હરિયાણાનો મારા પર હક છે, મને સેવાની તક આપો.