મોટી-મોટી વાતો કરીશ નહી, કામ કરીને બતાવીશ: મોદી
વારાણસી, 7 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારણસી જયાપુર ગામને દત્તક લેવા પહોંચી ગયા. આ અવસર પર વણકરોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વણકરો સમાજના તાણાવાણા ગુંથે છે. આ અવસર પર તેમણે કહ્યું કે ટેક્સટાઇલ ઇંડ્રસ્ટ્રી સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર છે.
વડાપ્રધાને કહ્યું કે 2375 કરોડ રૂપિયાનું પેકેજ બંધ થઇ રહેલી બેંકોને આપ્યું છે. તેમણે બેંકોના પુનર્સ્થાન માટે રાજ્ય સરકારનો સહયોગ માંગ્યો છે. વડાપ્રધાને કહ્યું કે તે વણકરો માટે ઘણી યોજનાઓ શરૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે હું આ યોજનાઓની જાહેરાત કરવાના બદલે તેમને શરૂ કર્યા બાદ તમને લોકોને તેનાથી માહિતગાર કરતો રહીશ.
વડાપ્રધાને કહ્યું કે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીને ખૂબ ઓછા ખર્ચામાં શરૂ કરી શકાય છે. તેમણે કહ્યું કે આપણે દુનિયાનો મુકાબલો કરવા માટે આ ક્ષેત્રમાં રિસર્ચની સાથે ટેક્નોલોજીને વધારવાની જરૂરિયાત છે. વડાપ્રધાને બનારસી સાડીની જોરદાર પ્રશંસા કરતાં કહ્યું કે દેશમાં એવી કોઇ મહિલા નહી હોય જેણે બનારસી સાડી વિશે સાંભળ્યું ન હોય.
વારાણસી પહોંચ્યા મોદી, જરૂર વાંચો IIT-IIM નો સર્વે રિપોર્ટ
તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં 20 કરોડ લગ્ન છે એવામાં તમે તમારા બિઝનેસનું ભવિષ્ય જોઇ શકો છો. તેમણે કહ્યું કે આજે બનારસને 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળી રહ્યો છે. પીએમે કહ્યું કે દુનિયા માટે બનારસ નવો શબ્દ નથી.
આ પહેલાં વડાપ્રધાનનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રામાં 25 કલાક વારાણસીમાં વિતાવશે. સૂત્રોના અનુસાર આ દરમિયાન તે અસ્સી ઘાટથી સ્વચ્છ કાશી અભિયાનની શરૂઆત કરશે.