Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

48 કલાકમાં સંપત્તિનું વિવરણ આપવા BJP સાંસદોને મોદીની ડેડલાઇન

નવી દિલ્હી, 26 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદો માટે વ્હિપ જારી કરી દીધું છે. જે ભાજપ સાંસદોએ હજી સુધી પોતાની સંપત્તિનું વિવરણ નથી આપ્યું, તેમને 48 કલાકમાં તે અંગેની જાણકારી સંસદની વેબસાઇટ પર સાર્વજનિક કરવા જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર વિદેશી બેંકોમાં જમા કાળા નાણા મુદ્દે ઘેરાયેલી છે. અત્રે નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે કાળા નાણાના મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે તે સત્તામાં આવશે તો 100 દિવસની અંદર કાળું નાણું દેશમાં પાછું લાવશે.

modi
હવે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આ અઠવાડીએ તેમના કાર્યકાળના 6 મહીના પૂરા કરવા જઇ રહી છે. જેથી પાર્ટી જ નથી ઇચ્છતી કે વિપક્ષ તેમને આ મુદ્દા પર ઘેરે. આની વચ્ચે કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહમાં કાળા ધન પર ચર્ચા કરવા માટે રાજી થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગઇકાલે ટીએમસીના સાંસદોએ સંસદમાં કાળી છત્રીઓ લઇને પ્રવેશ કર્યો હતો, અને કાળા નાણા અંગેનો હિસાબ માંગ્યો હતો. ટીએમસીના સાંસદોને કોંગ્રેસ અને એસપીના સાંસદોએ સમર્થન આપ્યું હતું. ભારે હોબાળો મચતા સદનની કાર્યવાહી રદ્દ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X