દેશનું દુર્ભાગ્ય છે કે, રેલવેને રાજનીતિનો અખા઼ડો બનાવી દિધો છે, 2014 બાદ બદલાવ આવાની શરુઆત: PM મોદી
Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે રેલવેને લઇને મોટો ખુલાસો કરતા વિપક્ષ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે, દેશનું દુર્ઘબાગ્ય રહ્યુ છે કે, રેલવે જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા જે સામાન્ય માનવીના જીવનનો આટલો મોટો ભાગ છે તેને પણ રાજનીતિનો અકાડો બનાવી દેવામાં આવ્યો છે. હાલાત એ હતા કે, રેલવે ની ભરતીમાં રાજનીતિમાં રાજનીતિ થતી હતી. ગરીબ લોકોની જમીન છીનવી લેવામાં આવતી હતી. અને તેમને રેલવેમાં નોકરીના બહાને છેતરવામાં આવ્યા.

પીએમ મોદીએ રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેમણે વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આજાદી બાદ મોટા પાયે રેલવેમાં ભ્રષ્ટાચાર થતો હતો. નૌકરીના બદલામાં જમીન કૌભાંડને લઇને પીએણ મોદીએ લાલુ પ્રસાદ યાદવનું નામ લીધા વગર નિશાન સાધ્યુ હતુ.
તેમણે કહ્યુ કે, દેશમાં રાજનિતિક સ્વાર્થ એટલો હાવી થઇ ગયો હતો કે, રેલવેની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો. હાલાત એ હતા કે, ગરીબ લોકોની જમીન પડાવી તેમને નોકરી આપવાની લાલાચ આપાવામાં આવતી હતી. પીએમ કહ્યુ કે, રાજનીતિ સ્વાર્થ પર નક્કી કરવામાં આવતુ હતુ કે, કોણ રેલવે મંત્રી બને કોણ નહી.
રાજનીતિક સ્વાર્થમાં નક્કી થતુ હતુ કે, ટ્રેને કયા સ્ટેશન પર ચાલશે. આ સ્વાર્થને લઇને બજેટમાં એવી ટ્રેનની જાહેરાત થઇ જે ક્યારેય ચાલી જ નહી. રેલવેની સુરક્ષા, સ્વચ્છતા, બધુ જ અજરઅંદાજ કરવામાં આવતુ હતુ. 2014 બાદ આ બધી પરિસ્થિતિઓમાં બદલાવ આવાની શરુઆત થઇ હતી.
વંદે ભારત ટ્રેન રાજસ્થાનના અજમેરથી દિલ્હી વચ્ચે ચાલશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. પ્રત્યેક બુધવારે ટ્રેનનું સંચાલન નહી થા. જયપુરમાં મેટિનેસ વર્ક થશે. આ કારણે ટ્રેનનું સંચાલન બંધ રાખવામાં આવશે. રાજસ્થાનની આ પહેલી વંદે ભારત ટ્રેન છે.
આ અજમેરથી સવારે 6:10 મીનીટે રવાના થશે અે બપોરે 12 વાગ્યે દિલ્હી પહોચશે. એટલે કે, 6 કલાક 15 મીનીટમાં તે સફર પુરુ કરશે. આ દિલ્હીથી ટ્રેન સાંજે 6 વાગ્યે રવાના થશે. રાતના 12 વાગ્યે પહોચશે.












Click it and Unblock the Notifications
