સંસદમાં TMC સાંસદ સૌગત રાયને PM મોદીએ મજાકમાં પૂછ્યું- તમે ક્યારે રિટાયર થશો?
હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય સૌગાતા રાય વચ્ચે હસી મજાક થઈ.
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય સૌગાતા રાય વચ્ચે હસી મજાક થઈ, જેની ચર્ચા છે. વાસ્તવમાં પીએમ મોદીએ સરકાર પર હુમલો કરનાર ટીએમસી સાંસદ સૌગત રાયને પૂછ્યું કે તમે ક્યારે નિવૃત્ત થશો.
બજેટની રજૂઆત બાદ પીએમ મોદી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, સૌગત રાય અને ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લા, ડીએમકેના એ રાજા અને અન્ય સાંસદો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન સૌગત રાયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર દ્વારા રાજ્ય સરકારની કામગીરીમાં બિનજરૂરી દખલગીરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમને હટાવવાની માંગ કરી હતી.
સૌગત રાયની માંગ પર પીએમ મોદીએ મજાકમાં સવાલ કર્યો કે પહેલા મને એ કહો કે તમે ક્યારે નિવૃત્ત થઈ રહ્યા છો? આ સાંભળીને ત્યાં હાજર તમામ નેતાઓ હસી પડ્યા. પીએમ સાથેની વાતચીત અંગે સૌગત રાયે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી પાસે રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવાની માંગ કરી હતી, કારણ કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. આના પર પીએમે તેમને મજાકિયા સ્વરમાં પૂછ્યું કે તમે ક્યારે રિટાયર થઈ રહ્યા છો?
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખર અને મમતા બેનર્જીની સરકાર વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. રાજ્યપાલ ધનખર રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સરકારની કામગીરી વિશે મીડિયામાં નિવેદનો આપતા રહે છે. આ અંગે મમતા બેનર્જી તરફથી ભારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મમતા બેનર્જીનું કહેવું છે કે જગદીપ ધનખડ બિનજરૂરી નિવેદનો કરે છે અને સરકારની ફાઈલો બ્લોક કરે છે.