સંસદ સત્ર પહેલા પીએમ મોદીઃ આશા છે સંસદમાં વાદ-વિવાદ અને સંવાદ થશે

શિયાળુ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાત કરી અને કહ્યુ કે આજથી શરૂ થઈ રહેલ સત્ર વાદ-વિવાદ અને સંવાદનુ સત્ર હશે.

સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર ખૂબ જ ખાસ છે કારણકે તે રાજ્યસભાનુ 250મુ સત્ર છે. શિયાળુ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાત કરી અને કહ્યુ કે આજથી શરૂ થઈ રહેલ સત્ર વાદ-વિવાદ અને સંવાદનુ સત્ર હશે. તેમણે કહ્યુ કે 2019નુ આ અંતિમ સંસદ સત્ર ખાસ છે કારણકે તે રાજ્યસભાનું 250મુ સત્ર છે. તેમણે કહ્યુ કે આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો બંધારણ દિવસ છે, આપણા બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે.

pm modi

પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમની સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે સંસદમાં બધા પક્ષના નેતાઓને મોકો મળ્યો છે. તેમણે કહ્યુ કે તેમને આશા છે કે જે રીતે બધા પક્ષોના સહયોગથી ગઈ વખતે સંસદ ચાલ્યુ હતુ તેમ જ આ વખતે થશે અને સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સરકાર બધા મુદ્દાઓ પર ચર્ચા ઈચ્છે છે અને બધા પક્ષો સાથે વાદ વિવાદ ઈચ્છે છે. તેમણ બધા પક્ષોના સાંસદોને શુભકામનાઓ આપી અને આશા વ્યક્ત કરી કે શિયાળુ સત્ર વિના વિઘ્ને ચાલી શકે.

તમને જણાવી દઈએ કે શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં 20 બેઠકો થશે. વળી, સંસદમાં 43 પેંડિંગ બિલમાંથી 12 બિલ સંસદમાં મૂકવામાં આવશે. વળી, આશા કરવામાં આવી રહી છે કે આ સત્રમાં સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવનાર બિલ પણ લાવવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X