આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી, આ મહત્વના મુદ્દા પર હશે ફોકસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 75માં સત્રમાં સામાન્ય સભાને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 75માં સત્રમાં સામાન્ય સભાને સંબોધિત કરશે. વર્તમાન કાર્યક્રમ મુજબ તેમને 26 સપ્ટેમ્બરે(શનિવારે) પહેલા વક્તા તરીકે રાખવામાં આવ્યા છે. બેઠક ન્યૂયોર્કના સમય મુજબ સવારે 9 વાગે એટલે કે ભારતીય સમયાનુસાર સાંજે લગભગ 6.30 વાગે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે તો તેમના ભાષણના કેન્દ્રમાં આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ પર જોર આપવાનુ રહેશે. સાથે જ સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ભારતની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર રહેશે. આશા રાખવામાં આવી રહી છે કે સંયુક્ત રાષ્ટ્રના આ મંચ પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને જે રીતે કાશ્મીર અને ભારત સામે ઝેર ઓક્યુ છે, પીએમ મોદી ઈશારા-ઈશારામાં જોરદાર જવાબ આપી શકે છે.

તમને જણાવી દઈએ કે ઈમરાને યુએનમાં એક વાર ફરીથી કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેનો વિરોધ કરીને સભામાં હાજર ભારતના પ્રતિનિધિ મિજિતો વિનિતોએ ઈમરાનના ભાષણ દરમિયાન જ વૉકઆઉટ કર્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને જવાબ આપીને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી. ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને મિજિતોએ પાકિસ્તાનને ચેતવણી આપી કે તે પીઓકેમાંથી ગેરકાયદે કબ્જો ખાલી કરે. તેણે કડક સ્વરમાં કહ્યુ કે જમ્મુ-કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને કાશ્મીર વિશે માત્ર પીઓકે પર ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનુ આયોજન ઑનલાઈન કરવામાં આવી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી સમિતિઓ દ્વારા સંસ્થાઓ અને વ્યક્તિઓને સૂચિબદ્ધ કરવા કે તેમને સૂચિમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા માટે જોર આપશે. તમને જણાવી દઈએ કે કોરોના સંકટના દોરમાં થઈ રહેલ સંયુક્ત રાષ્ટ્રના 75માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની થીમ છે 'ધ ફ્યુચર વી વૉન્ટ, ધ યુનાઈટેડ નેશન્સ વી નીડ, રિફ્રેમિંગ અવર કલેક્ટિવ કમિટમેન્ટ ટુ મલ્ટીલેટ્રિઝ્મ-કન્ફ્રંટિંગ ધ કોવિડ-19 થ્રૂ ઈફેક્ટિવ મલ્ટીલેટરલ એક્શન.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
