અમેરિકાથી હજારો વર્ષ જૂની 157 અમૂલ્ય ભારતીય કળાકૃતિઓ લાવશે પીએમ મોદી
અમેરિકાથી હજારો વર્ષ જૂની 157 અમૂલ્ય ભારતીય કળાકૃતિઓ લાવશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પુરાવશેષો સોંપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ભારતને પુરાવશેષોની વાપસી માટે આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બિડેને ચોરી, ગેરકાનૂની વેપાર અને સાંસ્કૃતિક વસ્તુઓની તસ્કરીથી નિપટવાના પોતના પ્રયાસોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ કર્યા. 157 કળાકૃતિઓની સૂચીમાં 10મી સીઈના બલુઆ પથ્થરમાં રેવંતના દોઢ મીટર બેસ રિલીફ પેનલથી લઈ 8.5 સેંટીમીટર લાંબો, 12મી સીઈના ઉત્તમ કાંસ્ય નટરાજન સુધીની વસ્તુઓનો એક વિવિધ સેટ સામેલ છે. વસ્તુઓ મોટા પાયે 11મી સીઈથી 14મી સીઈની અવધિની સાથોસાથ ઐતિહાસિક પુરાતનતા જેમ કે 200 ઈસી પૂર્વેની તાંબા માનવવંશીય વસ્તુઓ અથવા બીજી સીઈથી ટેરાકોટા ફૂલદાનથી સંબંધિત છે. કેટલીક 45 પુરાવશેષ બિફોર કોમન એરાના છે.
જ્યારે અડધી કળાકૃતિઓ (71) સાંસ્કૃતિક છે, અન્ય અડધી મૂર્તિઓ છે જે હિન્દુ ધર્મ (60), બૌદ્ધ ધર્મ (16) અને જૈન ધર્મ (9) સંબંધિત છે. જેનું નિર્માણ ધાતુ, પથ્થર અને ટેરાકોટામાં ફેલાયેલું છે. કાંસ્ય સંગ્રહમાં મુખ્યરૂપે લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ પાર્વતી અને 24 જૈન તીર્થંકરોની પ્રસિદ્ધ મુદ્રાઓની અલંકૃતિ મૂર્તિઓ છે અને અન્ય અનામ દેવતાઓ અને દિવ્ય આકૃતિઓ ઉપરાંત ઓછી સામાન્ય કંકલમૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેશ છે.
રૂપાંકનોમાં હિન્દુ ધર્મથી ધાર્મિક મૂબર્તિઓ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સામેલ છે. ચોવબિસીની સાથોસાથ ધર્મનિરપેક્ષ રૂપાંકનો છે.
56 ટેરાકોટા ટુકડા (ફૂલદાન 2 સીઈ, હરણની જોડી 12મી સીઈ, મહિલા 14મી સીઈની બસ્ટ) અને 18મી સીઈ તલવાર છે જેમાં શિલાલેખની સાથે ફારસીમાં ગુરુ હરગોવિંદ સિંહનો ઉલ્લેખ છે. આ મોદી સરકાર દ્વારા દુનિયાભરથી આપણા પુરાવશેષો અને કળાકૃતિઓ પરત લાવવાના પ્રયત્નો ચાલુ રાખે છે.