IndiGo Crisis: ફ્લાઇટ સંકટ વચ્ચે PM મોદીએ આપી વોર્નિંગ, કહ્યું- 'જનતા પરેશાન ન થાય, સિસ્ટમ તાત્કાલિક સુધારો'
PM Modi Statemen On IndiGo Crisis: દેશની સૌથી મોટી એરલાઇન IndiGoમાં સતત ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો ફસાયા, PM નરેન્દ્ર મોદીએ NDA સાંસદોની બેઠકમાં તાત્કાલિક સિસ્ટમ સુધારવા અને મુસાફરોની પરેશાની દૂર કરવા કડક નિર્દેશ આપ્યો. DGCAએ IndiGoના શેડ્યૂલને 5% સુધી ઘટાડવાનો આદેશ આપ્યો.

દેશની સૌથી મોટી એરલાઇન IndiGo હાલમાં ભારે અવ્યવસ્થાના દોર માંથી પસાર થઈ રહી છે. સતત ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. આ ગંભીર સંકટ વચ્ચે મંગળવાર, 9 ડિસેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીએ NDA સાંસદોની બેઠકમાં કડક સંદેશ આપ્યો હતો.
PM મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, કોઈ પણ ભોગે મુસાફરોને પરેશાની ન થવી જોઈએ અને સિસ્ટમ સુધારવાના નામે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડવી જોઈએ.
PM મોદીએ આપી વોર્નિંગ: 'લોકો પરેશાન ન થાય'
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બેઠક બાદ જણાવ્યું કે, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, નિયમ-કાયદા પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ સિસ્ટમ સુધારવાની પ્રક્રિયામાં સામાન્ય લોકોને તકલીફ ન થવી જોઈએ. લોકો પરેશાન ન થાય, તે સરકારની પ્રાથમિકતા છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આજે લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ IndiGo સંકટ પર વિસ્તૃત જવાબ આપવાના છે.
9 ડિસેમ્બરે 300 ફ્લાઇટ્સ રદ
IndiGoનું ઓપરેશનલ સંકટ મંગળવારે ચરમસીમા પર જોવા મળ્યું. છેલ્લા 7 દિવસમાં IndiGoએ 4,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે એરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ છે.
રદ થયેલી ફ્લાઇટ્સ (9 ડિસેમ્બર): બેંગલુરુથી 121, હૈદરાબાદથી 58, ચેન્નાઈથી 41 અને કેરળથી 4 ફ્લાઇટ્સ રદ થઈ.
DGCAની મોટી કાર્યવાહી: શેડ્યૂલ ઘટાડવાનો આદેશ
સતત અવ્યવસ્થા અને ફ્લાઇટ કેન્સલેશન બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ IndiGoને કડક નિર્દેશો આપ્યા છે.
- DGCAએ જણાવ્યું કે, IndiGo નિર્ધારિત શેડ્યૂલનું સંચાલન કરવામાં નિષ્ફળ રહી છે.
- એરલાઇનને 5% સુધી શેડ્યૂલ ઘટાડવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે.
- IndiGoને 10 ડિસેમ્બર, સાંજે 5 વાગ્યા સુધીમાં સુધારેલું શેડ્યૂલ જમા કરાવવું પડશે. આ આદેશ બાદ ઘણા રૂટ્સ પર IndiGoના સ્લોટ હટાવીને અન્ય ઓપરેટરોને આપવામાં આવી શકે છે.
IndiGoની હાલત કેમ બગડી?
સૂત્રો અને એવિએશન નિષ્ણાતોના મતે, તાજેતરની અવ્યવસ્થા પાછળ ઘણા કારણોનું સંયોજન છે.
- પાઇલટ અને કેબિન ક્રૂની અચાનક ઓછી ઉપલબ્ધતા.
- ક્રૂ શેડ્યુલિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી.
- વરસાદ, ધુમ્મસ અને ઓછા વિઝિબિલિટી જેવા હવામાન સંબંધી પરિબળો.
- વિમાનોના જાળવણીમાં વિલંબ અને ઓવર-શેડ્યૂલ્ડ નેટવર્ક.
PM મોદીના હસ્તક્ષેપ બાદ આશા છે કે એરલાઇન પર કડક દેખરેખ વધશે અને મુસાફરોની મુશ્કેલીઓ દૂર થશે.
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ








Click it and Unblock the Notifications
