Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ વિદેશમાં વસી જશે પીએમ મોદીઃ લાલુ યાદવે કર્યો કટાક્ષ

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે રવિવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં હારથી ચિંતિત છે અને વિદેશમાં જગ્યા શોધી રહ્યા છે.

રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે PM નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી હાર્યા બાદ વિદેશમાં સ્થાયી થઈ જશે. લાલુ યાદવે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદીના "ભારત છોડો" પર તેમની ટિપ્પણી માંગવામાં આવી હતી.

Lalu Prasad Yadav

લાલુ પ્રસાદ તેમના મોટા પુત્ર અને બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવ સાથે રવિવારે આરજેડીની બેઠકમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

લાલુ યાદવે કહ્યું, "મોદીજી, રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે... એટલા માટે તેઓ ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે જ્યાં તેઓ 2024ની લોકસભા ચૂંટણી હાર્યા પછી આરામ કરી શકે અને પીઝા, મોમોઝ અને ચાનો આનંદ માણી શકે.''

લાલુ યાદવે કહ્યું કે દેશની સેક્યુલર પાર્ટીઓ હવે એક થઈ ગઈ છે. તેથી ભાજપની હાર નિશ્ચિત છે. આગામી લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી Vs વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની હશે, દેશમાંથી ભાજપનો સફાયો થશે, યુવાનો દેશ માટે લડી રહ્યા છે.

લાલુ યાદવે કહ્યું કે બિહારમાં આરજેડી અને જેડીયુ અને કોંગ્રેસ મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ વખતે ભારત વિરુદ્ધ NDA હશે, અમે મહારાષ્ટ્રમાં પણ ચર્ચા કરીશું, મતભેદો ભૂલીને એક થઈશું. ભાજપનો નાશ નિશ્ચિત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X