Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમેઠી, રાયબરેલી સીટને લઈને પીએમ મોદીનો રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યુ - હું તો એક જ વાત કહુ છુ ડરો નહિ, ભાગો નહિ

Lok Sabha Election 2024: કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. રાહુલ ગાંધીને અમેઠીની સીટ આપવામાં આવી નથી, પાર્ટીએ તેમને રાયબરેલીથી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.

કોંગ્રેસની આ જાહેરાત બાદ પોતાની ઉમેદવારી અંગે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠકને કોંગ્રેસનું કાર્યસ્થળ ગણાવ્યું હતું. આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

modi-rahul

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડશે. અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ ભાજપના નેતાઓ રાહુલ પર સતત પ્રહારો કરી રહ્યા છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ રાયબરેલીને "ગાંધી પરિવારનું કાર્યસ્થળ" ગણાવ્યું હતું. રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યાના કલાકો બાદ રાહુલે ટ્વીટ કરીને કહ્યું, "હું ખૂબ જ વિશ્વાસ સાથે કહું છું કે મને અમારા પરિવારની કર્મભૂમિની સેવા કરવાની જવાબદારી આપવામાં આવી છે."

પીએમ મોદીએ કહ્યું, "મેં પહેલા કહ્યું હતું કે 'રાજકુમાર', વાયનાડમાં મતદાન કર્યા પછી, તે મતવિસ્તારમાં હારના ડરથી બીજી સીટ શોધશે. હવે, તેમણે અમેઠીથી ભાગીને રાયબરેલી સીટ પસંદ કરવી પડી."

કોંગ્રેસના નેતાના વારંવારના નિવેદન 'ડરશો નહીં' પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું, "હું એ લોકોને કહીશ કે ડરશો નહીં. હું તેમને માત્ર એક જ વાત કહીશ - ડરો નહીં અને ભાગો નહીં."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X