જનતા કર્ફ્યુના આગલા દિવસે PM મોદીએ કર્યુ ટ્વિટઃ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, લૉકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા.
દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા સરકારે આ વાયરસથી પ્રભાવિત 75 જિલ્લાઓમાં લૉકડાઉનના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત અમુક રાજ્ય સરકારોએ પણ પોત-પોતાના સ્તરે લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હજુ સુધી કોરોના વાયરસના કુલ 415 કેસ દેશમાં સામે આવી ચૂક્યા છે. વળી, કોરોના વાયરસના કારણે 7 લોકોના જીવ પણ જઈ ચૂક્યા છે. આ પહેલા રવિવારે પીએમ મોદીની અપીલ પર લોકોને ઘરમાં રહીને જનતા કર્ફ્યુનુ પાલન કર્યુ. જો કે આગલા જ દિવસે લોકોએ લૉકડાઉનનુ પાલન કરવાની અપીલ કરી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, લૉકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. કૃપા કરીને પોતાને બચાવે, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોને ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારો અનુરોધ છે કે તે નિયમો અને કાયદાનુ પાલન કરાવે. તમને જણાવી દઈએ કે દેશના અલગ અલગ શહેરોમાંથી એવા ફોટા સામે આવી રહ્યા છે. જ્યાં લોકો કોરોના વાયરસથી બચવા માટે જારી થયેલી એડવાઈઝરી અને લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન રહ્યા છે.
આ પણ વાંચોઃ PM મોદી-જનતા કર્ફ્યુની પ્રશંસા કરી રહ્યા છે POK નેતા, બોલ્યા - ડૉક્ટર મોકલો