For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે PM નરેન્દ્ર મોદી પાસે અને શું નથી...? ધ્યાનથી વાંચો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[મયંક દીક્ષિત] દેશના વડાપ્રધાન ના ફક્ત સત્તાનું કેન્દ્ર હોય છે પરંતુ મોટી જવાબદારીના પદનું નિર્વહન કરે છે. નવી સરકારની નવી નીતિઓ પર જો ગૌર કરીએ તો કંઇક આવા ફેરબદલ પણ જોઇશું જે ગત સરકારોએ મહત્વ આપ્યું ન હતું. જો વિભાગોની વાત કરીએ તો તાજેતરમાં સમાચાર આવ્યા છે કે યોજના પંચને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી છે.

દેશની ગત સરકારમાં સામે આવેલા ભ્રષ્ટાચારના કેસને ના ફક્ત સત્તારૂઢ પાર્ટીની ફજેતી કરાવી પરંતુ સાથે-સાથે દેશની આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામી થઇ. આ વખતે 'અચ્છે દિન'ના નારા સાથે કેટલીક એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેની મદદથી જનતા આ કાર્યકાળથી ખુશ તથા સંતુષ્ટ રહે. આવો જાણીએ નવી યોજનામાં શું-શું પીએમ મોદી પોતાની પાસ રાખે છે અને શું-શું તેમના ખાસ માણસો સંભાળે છે.

3 તાકતો

3 તાકતો

જે ત્રણ મુદ્દાઓએ દેશમાં ઘણા સમયથી હલચલ મચાવી રાખી છે, તે છે-લોકપાલ, સીવીસી અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો. આ સંબંધિત કેસ પર સીધો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.

 પીએમના 'વિભાગ'

પીએમના 'વિભાગ'

જો કે સીબીઆઇ, ભ્રષ્ટાચાર, લોકપાલ જેવા ગંભીર વિષય કાર્મિક, લોક ફરિયાદ અને પેંશન મંત્રાલય હેઠળ આવે છે. તેમનો કાર્યભાર વડાપ્રધાન પાસે છે. આ વખતે સરકાર ઇચ્છતી નથી કે કોંગ્રેસની માફક કોઇપણ દાગ લાગે, જેથી આગળ જઇને મુશ્કેલી સર્જાઇ.

 રાજ્યમંત્રીઓના હવાલે 'વતન' સાથીયોં!

રાજ્યમંત્રીઓના હવાલે 'વતન' સાથીયોં!

વડાપ્રધાને રાજ્યમંત્રીઓને જે અધિકાર આપ્યા છે તેમાં- સીબીઆઇ, પ્રત્યાર્પણ પ્રક્રિયા માટે મંજૂરી આપવી. સીબીઆઇમાં ગ્રુપ-એ પદો પર ભરતીના નિયમ નક્કી કરવા તથા ડીઆઇજી અને તેનાથી ઉચ્ચ પદોના ઓફિસરોને પ્રતિનિધિમંડળ પર મોકલવા સંબંધિત નીતિ બનાવવી.

 પીએમનો 'દાવ'

પીએમનો 'દાવ'

સર્વપ્રથમ લોકપાલ, સીવીસી સાથે જોડાયેલા મુદ્દા, યુપીએસસીના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક, તેમના રાજીનામા અને તેમને હટાવવા સંબંધિતમાં. RTI કાયદામાં ફેરફાર, આઇએએસ, કેન્દ્રિય સચિવાલય સેવા, ગ્રેડ-1 અને તેનાથી ઉપરના ઓફિસરો અને સીબીઆઇના ગ્રુપ-એના ઓફિસરો વિરૂદ્ધ અનુશાસનાત્મક કેસ. આ રેંકના અધિકારી જે અપીલ દાખલ કરશે, તેમના પર અને તેમના વિરૂદ્ધ કેસની મંજૂરીનો ફેંસલો પણ વડાપ્રધાન જ કરશે.

 વિવાદ શા માટે કરવામાં આવે?

વિવાદ શા માટે કરવામાં આવે?

યુપીએસસી સભ્ય, અધ્યક્ષોની નિમણૂંક, આરટીઆઇ, આઇએસ જેવા વિવાદિત કેસ-વિભાગોની ડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાના હાથમાં રાખી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણીવાર સમાચારો આવ્યા છે કે ગુજરાતમાંથી આરટીઆઇના જવાબ ખૂબ ઓછા આપવામાં આવે છે. ક્યાંક દેશભરમાં પણ આરટીઆઇને લઇને આ લહેર ના ફેલાઇ. આ બધી વાતોને લઇને વડાપ્રધાને સક્રિયતાથી આ 'કાર્યો'માં પોતાના અંતિમ નિર્ણયની વ્યવસ્થા કરી છે.

English summary
PM Narendra Modi does have these power for good governance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X