Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મન કી બાત: "GSTને હું ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ કહું છું"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'મન કી બાત'ની 34મી આવૃત્તિ

નરેન્દ્ર મોદીએ રવિવારે 34મી વાર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. ગત વખતે આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા, શૌચાલય બનાવવા વગેરે જેવા મુદ્દા અંગે વાતો કરી હતી. દેશવાસીઓ હંમેશા આ ક્રાર્યક્રમ સાંભળવા માટે આતુર રહે છે. આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર, 2014ના રોજ થઇ હતી. આ કાર્યક્રમ અત્યાર સુધીમાં 33 વાર બ્રોડકાસ્ટ થઇ ચૂક્યો છે અને આ તેની 34મી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં આ પ્રોગ્રામથી ઑલ ઇન્ડિયા રેડિયો(AIR)ને લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

pm modi mann ki baat

સંબોધનના મુખ્ય અંશો:

  • આજે દરેક ક્ષેત્રમાં દેશની દિકરીઓ આગળ વધી રહી છે, દેશનું ગૌરવ વધારી રહી છે
  • હાલમાં જ ક્રિકેટ ટીમની દિકરીઓને મળવાની તક મળી હતી. તેમને વસવસો હતો કે તેઓ ક્રિકેટ વિશ્વ કપ ન જીતી શક્યાં.
  • આ વખતે પહેલીવાર એવું થયું છે કે, તેઓ ફાઇનલ ના જીતી શકી, તેમ છતાં દેશની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો.
  • મેં તેમને કહ્યું કે, તમે મેચ ભલે ન જીત્યાં, પરંતુ દેશવાસીઓને જીતી લીધા છે
  • ઓગસ્ટ માસ તહેવારોનો પણ માસ છે, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવવાની તૈયારીઓ થઇ રહી છે
  • ગણેશ ઉત્સવનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે, આ વર્ષ સાર્વજનિક ગણેશોત્સવનું 125મું વર્ષ છે. આ ઉત્સવ લોકમાન્ય તિલકજીએ શરૂ કર્યો હતો
  • આ ઉત્સવમાં ગણેશજીની મૂર્તિ અંગે મારા કરતાં દેશના કેટલાક નાગરિકો વધુ જાગૃત છે, જે વાતની મને ખુશી છે
  • આ વર્ષે મને દેશના કેટલાક નાગરિકો દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે, હું લોકોને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લેવાની ભલામણ કરું
  • આપણે ત્યાં આ તહેવારની ઉજવણી થોડી વહેલી શરૂ થાય છે, આથી નગારિકોએ મને બને એટલી જલ્દી આ વાત દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કહ્યું હતું
  • આથી હું આપણા તમામ દેશવાસીઓને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લાવવાની ભલામણ કરું છું
  • આજ-કાલ તો હોમ-મેડ રાખડીઓનો પણ ટ્રેન્ડ નીકળ્યો છે, આની સાથે ગરીબોનો રોજગાર જોડાયેલો છે, એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
  • આપણા તહેવારો અને ઉત્સવો માત્ર આનંદ-પ્રમોદ માટે નથી, આ સામાજિક સુધારાનું એક અભિયાન પણ છે
  • આ તહેવારોને ગરીબોની આર્થિક જિંદગી સાથે સીધો સંબંધ છે, તહેવારોમાં તેમને રોજગારી નવી તકો મળે છે
  • ઓગસ્ટ માસ સ્વતંત્રતા સંગ્રામને લઇને ખૂબ મહત્વનો છે, આ ક્રાંતિનો માસ છે. આ મહિનામાં આઝાદીના આંદોલનની અનેક તારીખો આવે છે
  • 9 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનનું આહ્વાન થયું હતું, મહાત્મા ગાંધીના આહ્વાન પર લાખો ભારતવાસીઓએ પોતાનું જીવન આ સંઘર્ષ અને આઝાદીની લડાઇને સમર્પિત કર્યું હતું
  • ભારત છોડો આંદોલનનું બિગુલ ચોતરફ વાગ્યું અને આખરે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું
  • 9 ઓગસ્ટ, 1942માં આ આંદોલન શરૂ થયું હતું, 1942થી 1947 સુધીના પાંચ વર્ષો નિર્ણાયક રહ્યા હતા
  • આ વર્ષે 9 ઓગસ્ટના રોજ આ આંદોલનને 75 વર્ષ પૂરા થાય છે, જે યાદ રાખતાં 15 ઓગસ્ટના રોજ આપણે સંકલ્પ લઇશું કે, ભારતને ગરીબી, ભ્રષ્ટાચાર, સામ્રાજ્યવાદ વગેરેમાંથી મુક્તિ આપાવીશું
  • વર્ષ 2017થી 2022 આ સંકલ્પ સિદ્ધિના વર્ષો છે, વર્ષ 2017ને સંકલ્પ વર્ષના રૂપમાં મનાવીશું, તો વર્ષ 2022માં જ્યારે આઝાદીને 75 વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં સફળતા મળશે
  • ખરો સ્વતંત્રતા સંગ્રામ તો વર્ષ 1857થી શરૂ થયો હતો, જે 1947 સુધી કોઇને કોઇ રૂપમાં ચાલુ રહ્યો હતો
  • અસહયોગ આંદોલન અને ભારત છોડો આંદોલનમાં મહાત્મા ગાંધીના બે અલગ-અલગ રૂપો જોવા મળ્યા હતા
  • મને મારા 15 ઓગસ્ટના છેલ્લા ત્રણ વર્ષના ભાષણ માટે એક ફરિયાદ મળી છે, મારું ભાષણ ઘણું લાંબુ થઇ જાય છે
  • આ વખતે હું મારું ભાષણ ટૂંકુ કરવાનો પ્રયત્ન કરીશ, 15 ઓગસ્ટના ભાષણ અંગે તમારા વિચારો મને મોકલો
  • જીએસટી માત્ર એક ટેક્સ રિફોર્મ નહીં, ભારતની સામૂહિક શક્તિનું ઉદાહરણ છે. આખી દુનિયા તેનું અધ્યયન કરશે
  • જીએસટી લાગુ કરવામાં દરેક રાજ્ય સરકારની ભાગીદારી અને જવાબદારી
  • જીએસટી દ્વારા ગરીબોની થાળી પર કોઇ ભાર ન પડે
  • જીએસટીથી ગ્રાહકોનો વેપારીઓ પરનો વિશ્વાસ વધ્યો છે, આર્થિક વ્યવસ્થા પર સકારાત્મક અસર થઇ છે
  • જીએસટીને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ કહું છું, ખૂબ ઓછા સમયમાં ઘણી હકારાત્મક અસર જોવા મળી છે
  • પ્રકૃતિ આપણને પાળી-પોષીને મોટા કરે છે, ક્યારેક પ્રકૃતિમાં આવેલ પરિવર્તનથી નુકસાન થાય છે
  • વર્ષા જ્યારે વિકરાષ રૂપ ધારણ કરે ત્યારે ખ્યાલ આવે છે કે, પાણીમાં વિનાશ સર્જવાની કેટલી તાકાત છે
  • પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ જેમ કે, પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે, ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થાય છે
  • હાલ ભારતના અનેક વિસ્તારો પૂરની અસર હેઠળ છે, આ પરિસ્થિતિનું પૂરું મોનિટરિંગ થઇ રહ્યું છે
  • પૂરથી થયેલ વળતરના નુકસાન માટે યોજના બનાવવામાં આવી છે, વીમા કંપનીઓને એક્ટિવ કરવાની યોજના બનાવવામાં આવી છે
  • પૂર અસરગ્રસ્તોની મદદના પૂરા પ્રયત્નો થઇ રહ્યાં છે, જ્યાં પહોંચી શકાય ત્યાં અમારા અધિકારીઓ પહોંચી રહ્યા છે
  • મોસમના પૂર્વાનુમાન અનુસાર, કાર્યોની યોજના બનાવવાની આદત રાખી શકાય, ટેક્નોલોજી એટલી આગળ વધી છે કે, હવામાનનું લગભગ ચોક્કસ અનુમાન લગાવી શકાય છે
  • મન કી બાત કાર્યક્રમ અંગે મારા કરતાં વધુ તૈયારી જનતા કરે છે

કાર્યક્રમ અંગેની ખાસ વાતો:

  • વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ વિભાગ તથા ડીડી ન્યૂઝના યૂ-ટ્યૂબ ચેનલ પર પણ આ કાર્યક્રમ ઉપલબ્ધ રહેશે.
  • કાર્યક્રમના હિંદી પ્રસારણના તુરંત બાદ આકાશવાણી દ્વારા ક્ષેત્રીય ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
  • રાત્રે 8 વાગે આ કાર્યક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં ફરી સાંભળી શકાશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X