નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસ વિશેની ખાસ 7 વાતો
જાપાન યાત્રા-વાજતે ગાજતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન માટે રવાના થયા, શિંજો આબે સાથે બેસીને બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય વાર્તાને અંજામ આપ્યો. જો થોડા પાછળ જઇએ તો મોદી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં 2007 અને 2012માં જાપાનની યાત્રા કરી ચૂક્યાં છે.
આજની પરિસ્થિતી જોતાં તેમની આ યાત્રા ઘણા પ્રકારે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ પહેલાં તે નેપાળની સાથે તાલમેળ બેસાડવાની પહેલ કરી ચૂક્યાં છે. પોતાની પ્રથમ દ્રિપક્ષીય વાર્તાને લઇને મોદી સરકાર એકદમ સર્તક છે.
રોકાણ, વિકાસ જેવી નીતિઓને જાપાન સાથે શેર કરી દેશની નીતિઓને સફળ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. સ્લાઇડર ફેરવો અને જાણો કયા-કયા કારણોએ મહત્વપૂર્ણ બનાવી દિધી નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા-

પરમાણું કરાર
જ્યાં સુધી જાપાન સાથે પરમાણું કરારની વાત છે, તેને લઇને જાપાનમાં ખૂબ નાપસંદગી છે. જાપાનની ગઠબંધનવાળી પાર્ટી કોમિતો પરમાણું ઉર્જાને લઇને સખત વિરૂદ્ધ છે. જનધારણા પર ધ્યાન આપીએ તો સામાન્ય માણસો પરમાણું ઉર્જા ઇચ્છતા નથી. જાપાનમાં વર્ષ 2011માં ફુફુશિમામાં થનાર પરમાણું દુર્ઘટના હજુ સુધી હદયમાં ધકધકે છે. જાપાન-ભારત વચ્ચે બનેલી આ ખાઇને પુરવી બંને દેશો માટે ખૂબ જ મુશ્કેલ રહેશે.

ચીન બેચેન?
ગત આંકડાઓમાં જઇએ તો 2012માં પદ સંભાળ્યા બાદ આબેએ ચીનના રાષ્ટ્રપતિ સાથે ઔપચારિક વાતચીત કરી નથી. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી અને આબે વચ્ચે સારા વ્યક્તિગત સંબંધ છે. ચીન માટે મોદી-આબેની મિત્રતા માથા પર લકીર તાણી શકે છે.

એકબીજાની જરૂરિયાત
જો અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અત્યારે જાપાની અર્થવ્યવસ્થાની સ્થિતી સારી નથી. ભારતની અર્થવ્યવસ્થા પણ ખૂબ સારી નથી. આર્થિક વિશ્લેષકોનું માનીએ તો જાપાન એ સ્થિતીમાં નથી જે દસ વર્ષ પહેલાં હતું.

હાર્ડ કોર
જાપાનની કંપનીઓની મોટી સંખ્યા ભારતમાં વેપાર કરી રહી છે, પરંતુ કદાચ ભારતીય કંપનીઓ જાપાનમાં વેપારના લાભોનો ભરપૂર ફાયદો ઉઠાવી શકતી નથી. જાપાનમાં ઘણી ટેક્નોલોજી કંપની છે, અહીં તે વ્યવસાય કરી શકતી નથી, કારણ કે તે હાઇ એંડ વેપાર કરવા માંગે છે અને લો એંડ વેપાર ચીનને હસ્તાંતરિત થઇ જાય છે.

ડિફેંસને ડિફેંડ
એક વિજન એ પણ છે કે નૌસેનાના આધુનિકરણમાં જાપાન, ભારતની મદદ કરી શકે છે. જાપાનમાં આ સંબંધમાં કાયદો પાસ થઇ ગયો છે તો જાપાન ભારતને નિર્યાત પણ કરી શકે છે. એવામાં બંને એકબીજાના પૂરક સાબિત થશે.

મદદગાર છે જાપાન
સ્ટર્ન ફ્રેટ કૉરિડોર હોય કે પછી દિલ્હી-મુંબઇ ઇંડસ્ટ્રિયલ કૉરિડોર કે પછી દિલ્હી અને બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટ. બધા જાપાનની મદદથી બની રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે જાપાન દ્વારા જો ફંડ મળે છે તો સ્માર્ટ સિટી, રેલવે, સોલાર અને ગંગાને સાફ કરવાને યોજનાઓની સાથે જ બુલેટ ટ્રેનના પૈડ ભારતીય જમીન દોડી શકે છે.

ભારતમાં છે જાપાન
અત્યારના સમયમાં ઘણા જાપાની કંપનીઓ જેમ કે ડોકોમો, સુઝુકી, દાયચી સૈંકો, ટોયોટો વધુ ફાયદો રળી રહી છે. આ જાપાની કંપનીઓને પોતાનું ભવિષ્ય ભારતમાં ઉજ્જવળ દેખાઇ રહ્યું છે. આ પહેલની સાથે ભારતીય કંપનીઓમાં પણ જાપાન પાસેથી લાભની આશા છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
