PM મોદી કાલે '21 સદીમાં શાળા શિક્ષણ' પર સભાને સંબોધિત કરશે
રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કાલે સવારે 11 વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ '21મી સદીમાં શાળા શિક્ષણ' કૉન્ક્લેવને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કાલે સવારે 11 વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (એનઈપી-2020) હેઠળ '21મી સદીમાં શાળા શિક્ષણ' કૉન્ક્લેવને સંબોધિત કરશે. શિક્ષણ મંત્રાલય 10 અને 11 સપ્ટેમ્બરે શિક્ષણ પર્વના એક ભાગ રૂપે આ બે દિવસીય સંમેલનનુ આયોજન કરી રહ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓગસ્ટ 2020ના રોજ એનઈપી-2020 હેઠળ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધાર પર સભામાં ઉદઘાટન ભાષણ આપ્યુ હતુ.

એનઈપી-2020 એકવીસમી સદીની પહેલી શિક્ષણ નીતિ છે જેને ગઈ શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના 34 વર્ષો બાદ ઘોષિત કરવામાં આવી છે. એનઈપી-2020માં શાળા અને ઉચ્ચ શિક્ષણ બંને સ્તરો પર મોટા સુધારા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભારતને એક ન્યાયોચિત અને જ્ઞાન આધારિત ઉદ્યોગી સમાજ બનાવવાનો છે. આમાં ભારત કેન્દ્રીત શિક્ષણ પ્રણાલીને લાગુ કરવાનો વિચાર છે જે દેશને વૈશ્વિક મહાશક્તિમાં બદલાવામાં સીધુ યોગદાન કરશે.












Click it and Unblock the Notifications
