For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનના નામમાં તો 'સિંહ' પરંતુ કામ 'શિયાળ' જેવા: સિંઘલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ashok-singhal
ભોપાલ, 6 મે: ભારતના બંને પડોસી દેશો સાથે હાલ સંબંધો તણાવપૂર્ણ બનેલા છે. પાકિસ્તાની જેલમાં સરબજીતનું મોત અને તે પહેલાં સીમા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા પાકિસ્તાની સૈનિકો દ્વારા સૈનિકનું માથું કાપી લેવાના મુદ્દે સરકારના મૌન પર ટિપ્પણી કરતાં વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલે વડાપ્રધાન પર નિશાન તાક્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલે વડાપ્રધાન પર સખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે તેના પર હુમલો કરવો જોઇએ. વડાપ્રધાન મનમોહન સિંહ કાયરતા ન બતાવે, તે નામની સાથે 'સિંહ' લગાવે છે પરંતુ કામ શિયાળ જેવા કરે છે.

અશોક સિંઘલે પાકિસ્તાન, ચીન સહિત રામમંદિર, ગાય-ગંગા અને હિન્દુઓના દમન જેવા મુદ્દાઓ પર જોશીલા અંદાજમાં પોતાની વાત કરી હતી. તેમને આરોપ લગાવ્યો હતો કે આ કાયરોની સરકાર છે. ચીની સૈનિક આપણી સીમા ઘૂસ્યા પરંતુ સરકારનું સ્વાભિમાન ન જાગ્યું. અશોક સિંઘલે કહ્યું હતું કે રામમંદિર માટે સંસદમાં કાયદો બનાવે, આ મુદ્દો ફરીથી ગરમાવ્યો છે. રામલલા તંબૂની નીચે બેસે તે અમને મંજૂર નથી. અશોક સિંઘલે સરકારના ઢીલા વલણ પર સવાલ ઉભા કર્યા છે. તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઇ છે. તેની દેશની ચિંતા નથી. તે ફક્ત પોતાના મંત્રીઓને બચાવવામાં લાગેલી છે.

English summary
International Patron of Vishwa Hindu Parishad Ashok Singhal Commenting over PM Manmohan Singh, and said he should remove his surname because it does not suit him. He does not deserve to have this surname and he looked like a fox.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X