Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM, સોનિયાએ સંસદમાં અવરોધ દૂર કરવા અંગે ચર્ચા કરી

manmohan-sonia
નવી દિલ્હી, 26 એપ્રિલ : વિપક્ષી દળો દ્વારા કોલસા કૌભાંડ અને 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ મુદ્દે વારંવાર સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવામાં આવતા સંસદ અવારનવાર સ્થગિત કરવી પડી રહી છે. સંસદની કાર્યવાહીમાં ઉભા થયેલા અવરોધને દૂર કરવા શું પગલાં ભરવા જોઇએ તે વિષય પર ચર્ચા કરવા માટે આજે સંસદ ભવનના પરિસરમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચર્ચા કરી હતી.

આ અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કમલનાથે પત્રકારોને જણાવ્યું કે "યુપીએ અધ્યક્ષ અને વડાપ્રધાને યુપીએના ઘટકપક્ષો સાથે આ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની કાર્યવાહી આગળ ચાલી નહીં શકતી હોવાથી અને વિપક્ષ દ્વારા કેટલીક અયોગ્ય માંગણીઓ કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી."

તેમણે આગળ જણાવ્યું કે બેઠકમાં સંસદના સરળ સંચાલનમાં આવનારા અવરોધોને દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ભાજપનું કહેવું છે કે તે ત્યાં સુધી સંસદની કાર્યવાહી આગળ નહીં ચાલવા દે જ્યાં સુધી વડાપ્રધાન રાજીનામુ નહીં આપે. કોલસા ફાળવણી કૌભાંડ અને 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં અનિયમિતતા રાખવાના મામલે વડાપ્રધાન કાર્યલય કથિત રીતે સંલગ્ન હોવાનું બહાર આવ્યા બાદ ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X