For Quick Alerts
For Daily Alerts
શ્રીનગરમાં પીએમ, સોનિયા ઘાયલ લશ્કર જવાનોને મળ્યા
આ હુમલાને પગલે સ્થિતિ અસુરક્ષિત હોવા છતાં પીએમ અને સોનિયા ગાંધી આજે શ્રીનગર પહોંચ્યા હતા અને આતંકવાદી હુમલામાં ઈજા પામેલા જવાનોને હોસ્પિટલમાં જઈને મળ્યા હતા. ગઇકાલની ઘટનાને પગલે ઘાટીમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ શ્રીનગરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે આંતકવાદીઓ તેમના બદઈરાદામાં સફળ નહીં થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ એક સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યો છે. અમે આતંકવાદીઓને તેમના બદઈરાદા પાર પડવા નહીં દઈએ. આ સાથે તેમણે જમ્મુ કાશ્મીરમાં લોકોને મતદાન પ્રક્રિયામાં જોડાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યની ચૂંટણીમાં રાજ્યના લોકોની ઇચ્છાની જ જીત થશે. તેમણે રાજ્યના સારા ભવિષ્ય માટે યુવાનોને મતદાન પ્રક્રિયાથી અળગા ન રહેવા જણાવ્યું હતું.
Comments
srinagar pm manmohan singh sonia gandhi congress army jawans શ્રીનગર પીએમ મનમોહન સિંહ સોનિયા ગાંધી કોંગ્રેસ લશ્કરના જવાનો
English summary
PM, Sonia Gandhi met the injured army jawans in Srinagar
Story first published: Tuesday, June 25, 2013, 15:03 [IST]