વિજય માલ્યાને પીએમએલએ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો
બેંકોમાંથી લોન લઈને ભાગી ગયેલ વેપારી વિજય માલ્યાને મની લોંડ્રિંગ પ્રિવેન્શનલ એક્ટ (પીએમએલએ) ની વિશેષ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરી દીધો છે.
બેંકોમાંથી લોન લઈને ભાગી ગયેલ વેપારી વિજય માલ્યાને મની લોંડ્રિંગ પ્રિવેન્શનલ એક્ટ (પીએમએલએ) ની વિશેષ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરી દીધો છે. હવે માલ્યાની સંપત્તિને ઈડી જપ્ત કરી શકશે. વિજય માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવા પર વિશેષ પીએમએલએ અદાલતમાં પાંચ ફેબ્રુઆરીએ સુનાવણી થશે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવા માટે ઈડીએ મુંબઈ સ્થિત પીએમએલએની વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આના પર આજે અદાલતે ચુકાદો સંભળાવ્યો છે.

મુંબઈની સ્પેશિયલ અદાલત દ્વારા માલ્યાને આર્થિક ભાગેડુ ઘોષિત કરાયા બાદ ઈડીને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. માલ્યાને ભાગેડુ ગુનેગાર અધિનિયમ-2018 હેઠળ ભાગેડુ ઘોષિત કરતી અરજી પર ચુકાદા માટે મુંબઈની વિશેષ અદાલતે પહેલા 26 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. ત્યારે કોર્ટે આ ચુકાદાને 5 જાન્યુઆરી 2019 સુધી સુરક્ષિત કરી લીધો હતો. 62 વર્ષના વિજય માલ્યાએ પીએમએલએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને તે ના તો મની લોન્ડ્રિંગના ગુનામાં શામેલ છે.
માલ્યાએ ડિસેમ્બરમાં અદાલતને વિનંતી કરી હતી કે તેને આર્થિક ભાગેડુ ગુનેગાર ઘોષિત કરવા માટે ઈડી દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહી પર રોક લગાવવામાં આવે. કોર્ટે માલ્યાની આ અરજીને ફગાવી દીધી હતી. વિજય માલ્યા પર અલગ અલગ બેંકોના નવ હજાર કરોડથી વધુનું દેવુ બાકી છે. માર્ચ 2016માં વિજય માલ્યા દેશમાંથી બહાર જતો રહ્યો હતો. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. લંડનની કોર્ટ માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી ચૂકી છે પરંતુ માલ્યા પાસે હાલમાં આની સામે અપીલ કરવા માટે સમય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
