CAA Protest: મેંગ્લોરમાં હિંસક પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 6 ઘાયલ
CAA Protest: મેંગ્લોરમાં હિંસક પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 6 ઘાયલ
નવી દિલ્હીઃ નાગરિકતા કાનૂન વિરુદ્ધ કાઢામા આવી રહેલ જુલૂસમાં હિંસા બાદ કર્ણાટકના મેંગ્લોરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. મેંગ્લોરમાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. કર્ફ્યૂ કાલે અડધી રાત સુધી લાગૂ કરવામાં આ્યો છે. મેંગ્લોરમાં પોલીસે બંડારૂ પોલીસ સ્ટેશન પાસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ પણ ચલાવી છે. પોલીસની ગોળીબારથી 6 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ની હાલત ગંભીર હોય આઈસીયૂમાં દાખલ છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનકારીઓ તરફથી પથ્થરમારો થયા બાદ હાલાત બગડ્યા જે બાદ પોલીસે પણ સખ્તી દેખાડી. કર્ણાટક રાજ્યના મોટાભાગના શહેરોમાં 144 લાગૂ કરી દેવામાં આવી છે.

ગુરુવારે દેશભરમાં નાગરિકતા કાનૂન સામે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને બીજી જગ્યાઓ પર લોકોએ કાનૂન વિરુદ્ધ જુલૂસ કાઢ્યા છે. પ્રદર્શન કરી રહેલ લોકોએ વિવાદિત કાનૂન પાછો લેવાની માંગ કરી છે. આ દરમિયાન કેટલીય જગ્યાઓ પર હિંસા થઈ છે અને પોલીસે હજારો લોકોની અટકાયત કરી છે. રામચંદ્ર ગુહા જેવા મશહૂર ઈતિહાસકારને પણ બેંગ્લોરથી હિરાસતમાં લીધા છે. લખનઉ, સંભલ, મેંગ્લોર અને કેટલાય બીજા ભાગોમાં હિંસા અને આગચંપી પણ થઈ છે.
જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન એક્ટ 2019ને હાલમાં જ સદનમાંથી મંજૂરી મળી છે. આ કાનૂનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને દેસાઈ સમુદાયના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત વધુ મોટાભાગના વિપક્ષી દળ અને કેટલાય સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યૂનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ધર્મના આધારે કાનૂન બનાવવો ભારતના સંવિધાન પર હુમલો છે.












Click it and Unblock the Notifications
