કાનપુરમાં વિધાર્થીએ બાથરૂમ ફાંસી લગાવી, મૌત બન્યું રહસ્ય
ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોલીટેક્નીકમાં એક ઓટો મિકેનિકલ ફર્સ્ટ યર વિધાર્થીની લાશ બાથરૂમમાંથી મળી આવી.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોલીટેક્નીકમાં એક ઓટો મિકેનિકલ ફર્સ્ટ યર વિધાર્થીની લાશ બાથરૂમમાંથી મળી આવી. બાથરૂમમાં તેના સાથીઓએ તેને ફાંસી લગાવેલી સ્થિતિમાં જોયો. આવી પરિસ્થિતિમાં મૌત થયાની જાણ થતા જ બીજા વિધાર્થીઓ પણ આક્રોશિત થઇ ઉઠ્યા. તેમને હોસ્ટેલ પરિસરમાં હંગામો કરવાનું ચાલુ કરી દીધું. હંગામો વધી જતા પોલીસ ત્યાં પહોંચી અને તેમને લાશને કબ્જામાં લીધી.
ફર્સ્ટ યર વિધાર્થીની લાશ
સૂત્રો અનુસાર, હોસ્ટેલના બાથરૂમ મૃત મળી આવેલા યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ આત્મહત્યા કરવાના કારણ વિશે શોધ કરી રહી છે. યુવક દેવરિયા જિલ્લાનો રહેવાસી હતો. તેની ઓળખ અભિષેક શર્મા તરીકે થઇ છે. તે કાનપુર રાજકીય પોલીટેક્નીકમાં ઓટો મિકેનિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. રવિવારે રાત્રે તેની લાશ બાથરૂમ લટકેલી મળી આવી.
આ પણ વાંચો: પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની
મૃતકના સાથી સંદીપનું કહેવું છે કે બપોરે ત્રણ વાગ્યે બધા જ લોકો હોસ્ટેલમાં સુઈ ગયા હતા. તેઓ જયારે સૂઈને ઉઠ્યા ત્યારે અભિષેક ત્યાં ના હતો. ઘણી શોધ કર્યા પછી જયારે તેઓ બાથરૂમ પાસે પહોંચ્યા ત્યારે બાથરૂમ અંદરથી બંધ હતું. બાથરૂમની ઉપર ચઢીને જયારે તેમને જોયું તો અભિષેકે બાથરૂમમાં ફાંસી લગાવી દીધી હતી.
આ પણ વાંચો: પોલીસ અને બદનામીના ડરથી પ્રેમી-પંખીડાએ નદીમાં ઝંપલાવ્યું, યુવકનું મોત
સ્વરૂપ નગર સીઓ દેવેન્દ્ર મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખો મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. પરંતુ અભિષેકે આત્મહત્યા કેમ કરી તેના વિશે તપાસ કરી રહ્યા છે. જાંચ કર્યા પછી જ તેના વિશે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.