Pooja Khedkar IAS : કોણ છે દિવ્યાંગનું નકલી સર્ટિફિકેટ લઈને IAS બનેલી પૂજા ખેડકર? જાણો શું છે પુરો વિવાદ?
Pooja Khedkar IAS : IAS પૂજા ખેડકર પર ખોટા દિવ્યાંગ સર્ટિફિટેકના આધારે નોકરી મેળવવાનો આરોપ લાગ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે.
પૂજા ખેડકરે UPSC પરીક્ષા 2022માં 821મો રેન્ક મેળવ્યો હતો. તે વર્ષે ઓબીસી કેટેગરીમાંથી આઈએએસ બનેલા છેલ્લા વિદ્યાર્થીઓનો રેન્ક 434 હતો. પૂજાનો રેન્ક ઘણો પાછળ હતો તાં તે IAS બની.

પૂજા IAS બની તેની પાછળ તેને દાવો કર્યો હતો કે તે વિકલાંગ છે. 2019 માં UPSC પરીક્ષા આપતી વખતે આવો કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો. CAT એ પૂજા ખેડકરના દાવાને ફગાવી દીધા પછી પણ તેણીને IAS માટે પસંદ કરવામાં આવી હતી. તેને ઓલ ઈન્ડિયામાં 821 રેન્ક મળ્યો હતો.
2019 માં પૂજા ખેડેકરે સામાન્ય ઉમેદવાર તરીકે UPSC પરીક્ષા પાસ કરી પરંતુ ઓછા માર્કસને કારણે તે IAS રેન્ક મેળવી શકી ન હતી, પછી 2022 માં પૂજાએ UPSC ને દાવો કર્યો હતો કે તે શારીરિક રીતે અક્ષમ છે.
બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી વ્યક્તિઓ એ UPSC પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે એક અલગ કેટેગરી ઉપલબ્ધ છે, જે શારીરિક વિકલાંગતાની શ્રેણી ધરાવે છે. આમાંથી, પ્રકાર 1, 2, 3, 4 અને 5 નક્કી કરવામાં આવ્યા છે.
પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે આમાં સૌથી ઓછી વિકલાંગતા ટાઈપ ફાઈવ છે. જેના કારણે 821મો રેન્ક મેળવવા છતાં તેને IASનો રેન્ક મળ્યો. પૂજા ખેડકરે પોતાની આવક વિશે જણાવ્યું કે તેની પાસે પુણે જિલ્લામાં ચાર જગ્યાએ અને અહેમદનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ જમીન છે.
તેણીએ જણાવ્યું કે, આ પ્રોપર્ટીની કુલ કિંમત 1 કરોડ 93 લાખ રૂપિયા છે અને પૂજા તેનાથી 42 લાખ રૂપિયા કમાઈ રહી છે. પિતાની આવક 40 કરોડ રૂપિયા છે. આ સ્થિતિમાં, ઓબીસી કેટેગરીમાં છૂટછાટ મેળવવા માટે જરૂરી 8 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવ્યું? આવી સ્થિતિમાં પૂજા ખેડકરની નિમણૂકને લઈને હવે વિવાદ વધી રહ્યો છે.












Click it and Unblock the Notifications
