Pooja Khedkar : IAS પદેથી હટાવાયા બાદ હવે જેલ જવાની તૈયારી, પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી રદ
Pooja Khedkar : ફ્રોડ કરીને આઈએએસ બનેલી પૂજા ખેડકરને કોર્ટે ફટકાર મારી છે. પહેલા યુપીએસસીએ આઈએએસ પદેથી હટાવાયા બાદ હવે તેના આગોતરા જામીન રદ થયા છે.
IAS પદ ગુમાવ્યા બાદ પૂજા ખેડકરને દિલ્હીની એક કોર્ટે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ખેડકર પર છેતરપિંડી અને OBC અને PWD ક્વોટાનો અયોગ્ય લાભ લેવાનો આરોપ છે.

પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ યુપીએસસી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ હતુ. પૂજા ખેડકર હાજર થવાની જગ્યાએ ફરાર થઈ ગઈ હતી. જે બાદ UPSCએ ખેડકરની ઉમેદવારી રદ કરી દીધી.
આ કેસમાં કોર્ટે દિલ્હી પોલીસને તપાસનો વ્યાપ વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસનું બહાર આવવું ભારતીય વહીવટી સેવામાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના ગંભીર મુદ્દાને ઉજાગર કરે છે.
ખેડકર પર OBC અને PWD ક્વોટાનો ખોટી રીતે લાભ લેવાનો આરોપ છે. આ એક ગંભીર ગુનો છે કારણ કે તે લાયક ઉમેદવારોને નુકસાન પહોંચાડે છે. પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરીને યુપીએસસીએ સંદેશ આપ્યો છે કે આવા કેસમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. તપાસનો વ્યાપ વિસ્તારવા કોર્ટના નિર્દેશ બાદ અન્ય ઉમેદવારોએ પણ આવી છેતરપિંડી કરી છે કે કેમ તે જાણી શકાશે. નોંધનીય બાબત એ છે કે જો ખેડકર દોષી સાબિત થશે તો તેને આકરી સજા થઈ શકે છે.
જણાવી દઈએ કે, યુપીએસસીએ બુધવારે ખેડકરની ઉમેદવારી રદ કરી છે. તેને ભવિષ્યની પરીક્ષાઓમાં ભાગ લેવા પર પણ રોક લગાવવામાં આવી છે. ખેડકર દ્વારા દાખલ કરાયેલી અરજી પર દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બુધવારે ચુકાદો અનામત રાખ્યો હતો. ખેડકરે પોતાના વકીલ મારફતે દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેમને ધરપકડનો ખતરો છે.
સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષ તેમજ યુપીએસસીના વકીલે અરજીનો વિરોધ કર્યો અને દાવો કર્યો હતો કે પૂજા ખેડકરે પ્રણાલી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હજુ પણ તેઓ કાયદાનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે. તે કોઠાસૂઝ ધરાવનાર છે. ખેડકર પર UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે તેમની અરજીમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
