2014 ઘા ભરવાનું વર્ષ હોવું જોઇએઃ પ્રણવ મુખરજી
નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ આગામી લોકસભા ચૂંટણી બાદ એક સ્થિર સરકારની વકાલત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ચેતવ્યા છે કે મનમૌજી અવસરવાદી પર નિર્ભર ખંડિત સરકાર ભારત માટે વિનાશકારી હશે. રાષ્ટ્રપતિએ દેશની જનતાને અપીલ કરી છે કે 2014માં થનારી ચૂંટણીમાં આપણે ભારતને નિરાશ નહીં કરી શકીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે આત્મમંથન કરીએ અને કામ પર લાગીએ.
તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં કોણ જીતે છે એ એટલું મહત્વનું નથી, જેટલી મહત્વની એ વાત છે કે જે જીતે, તેમાં સ્થાયિત્વ, ઇમાનદારી તથા ભારતના વિકાસ માટે અતૂટ પ્રતિબદ્ધતા હોવી જોઇએ.

તેમણે બેરોજગાર યુવાઓને રોજગારીની તકો આપવાની વકલાત કરતા કહ્યું કે, એવા યુવાનો ગામો અને શહેરોને 21મી સદીના સ્તર પર લઇ જશે. તેમણે એક તક આપો અને એ ભારતને જોઇને તમે દંગ રહી જશો, જેનું નિર્માણ કરવામાં તે સક્ષમ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ખોટા વચનોની પરિપૂર્ણતા મોહભંગમાં થાય છે, જેનાથી ક્રોધ ભડકે છે તતા આ ક્રોધનું એક જ સ્વાભાવિક નિશાના હોય છે- સત્તાધારી વર્ગ. તેમણે કહ્યું કે આ ક્રોધ ત્યારે શાંત થશે, જ્યારે સરકારો એ પરિણામ આપશે જેના માટે તેમણે પસંદ કરવામાં આવી હતી. અર્થાત સામાજિક અને આર્થિક પ્રગતિ અને એ પણ કાચબાની ચાલથી નહીં પરંતુ ઘોડાદોડના ઘોડાની ગતિથી.
મુખરજીએ ચેતાવણી આપી કે મહત્વકાંક્ષી ભારતીય યુવાઓ, તેમના ભવિષ્ય સાથે વિશ્વાસઘાતને ક્ષમા નહીં કરે. જે લોકો સત્તામાં છે, તેમણે પોતાના અને લોકોની વચ્ચે વિશ્વાસની ઉણપને દૂર કરવી પડશે. જે લોકો રાજકારણમાં છે, તેમણે એ સમજવું જોઇએ કે ચૂંટણી સાથે એક ચેતાવણી જોડાયેલી હોય છે, એટલે કે પરિણામ આપો અથવા બહાર જાઓ.
વિચારોના મતભેદને લોકતંત્રનો ભાગ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એક લોકતાંત્રિક દેશ સદેવ પોતાની જાતે તર્ક-વિતર્ક કરે છે અને એ સ્વાગત યોગ્ય છે, કારણ કે આપણે વિચાર વિમર્શ અને સહમતિથી સમસ્યા હલ કરીએ છીએ, બળ પ્રયોગથી નહીં. તેમણે કહ્યું કે, વિચારોના આ સ્વસ્થ મતભેદ આપણી શાસન વ્યવસ્થાની અંદર અસ્વસ્થ ટકરાવમાં બદલાવું ના જોઇએ.
તેમણે કહ્યું કે, એ વાતનો આક્રોશ છે કે શું આપણે રાજ્યના તમામ ભાગો સુધી સમતાપૂર્ણ વિકાસ પહોંચાડવા માટે નાના નાના રાજ્યો બનાવવા જોઇએ. ચર્ચા સ્વભાવિક છે, પરંતુ લોકતાંત્રિક માપદંડો અનુરુપ થવી જોઇએ. વિઘ્ન કરો અને રાજ કરોનું રાજકારણ આપણા ઉપ-મહાદ્વીપથી ભારે કિંમત વસુલી ચૂકી છે. જો આપણે એકજૂટ થઇને કાર્ય નહીં કરીએ તો કંઇ નહીં થાય.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
