ભારત વિશે 24 દેશોમાં સકારાત્મક મંતવ્ય, પીએમ મોદીને લઈને મિશ્ર પ્રતિક્રિયાઃ સર્વે
G-20 સમિટમાં ભારત વિશ્વના ટોચના નેતાઓને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન, એક નવો સર્વે બહાર આવ્યો છે જેમાં સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 23 દેશોના લોકોનો અભિપ્રાય ભારતને લઈને સકારાત્મક છે.
લગભગ 46 ટકા વયસ્કોએ ભારતની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. જ્યારે 34 ટકાએ ભારતની તરફેણમાં અભિપ્રાય આપ્યો નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ આજે પણ લોકોમાં લોકપ્રિય છે. સર્વેમાં પીએમ મોદી વિશે મિશ્ર અભિપ્રાય છે.

12 દેશોના લોકોએ પીએમ મોદી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, જેમાં 37 ટકા લોકોએ કહ્યું છે કે તેમને પીએમ મોદી પર વિશ્વાસ છે, જ્યારે 40 ટકા લોકોનો મત અલગ છે. ઈઝરાયેલની વાત કરીએ તો અહીં 71 ટકા લોકોએ ભારતની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે.
બીજી તરફ કેન્યા, નાઈજીરીયા, યુકેના લોકોએ પણ ભારત વિશે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. 10માંથી 6 લોકોએ ભારતની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે.
દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો અહીંના લોકોનો અભિપ્રાય થોડો અલગ છે. લગભગ પચાસ ટકા લોકોએ ભારતની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો નથી. 36 ટકા લોકોએ ભારત વિશે તદ્દન નકારાત્મક પ્રતિક્રિયા આપી છે. નેધરલેન્ડ અને સ્પેનના લોકોએ પણ ભારતની તરફેણમાં અભિપ્રાય આપ્યો નથી.
આ સર્વેમાં ભાગ લેનારા 40 ટકા લોકોને વૈશ્વિક બાબતોના સંદર્ભમાં પીએમ મોદીમાં વિશ્વાસ નથી, જ્યારે 37 ટકા લોકોનું માનવું છે કે તેમને પીએમ મોદીમાં ઓછો વિશ્વાસ છે. જાપાન, કેન્યા અને નાઈજીરિયાના લોકોએ વિદેશ નીતિને લઈને પીએમ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કેન્યાના લગભગ 60 ટકા લોકોએ પીએમ મોદીના પક્ષમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. બ્રાઝિલ અને મેક્સિકોના લગભગ 50 ટકા લોકોને પીએમ મોદી પર વિશ્વાસ નથી. આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, અમેરિકાના લોકોને પીએમ મોદી પર ઓછો વિશ્વાસ છે.












Click it and Unblock the Notifications
