4 જુલાઇ સુધી ભારત અને વિશ્વમાં વિનાશક ભૂકંપની શક્યતા
જ્યોતિષીઓએ જણાવ્યું છે કે ગુરુવાર, 23 મ, 2013ના રોજથી સવારે 9.15 વાગ્યે મંગળે પોતાની સ્વરાશિ મેષ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે તેની સાથે પંચગ્રહી યોગ રચાય છે કેમ કે વૃષભ રાશિમાં હાલમાં સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર ભ્રમણ કરી રહ્યા છે તે સાથે અશુભ અને ક્રૂર ગ્રહ મંગળનું ભ્રમણ અશુભ ફળ આપી શકે છે કેમ કે મંગળ પોતે અંગારક ગ્રહ અને વૃષભ રાશિ પૃથ્વી તત્ત્વની રાશિ છે. જ્યારે પણ પૃથ્વી તત્ત્વ મંગળ, શનિ જેવા ક્રૂર ગ્રહોથી અશુભ બને છે ત્યારે પૃથ્વી પર ધરતીકંપ, દાવાનળનું ફાટવું, પૃથ્વીના પેટાળનો લાવા વધુ સક્રિય બને છે જેના કારણે પૃથ્વીના પેટાણમાં મોટા કંપનો થવા કે હલચલો થવી જેવી ઘટના બની શકે છે.
આના કારણે આગામી દિવસ 45 દિવસ સુધી એટલે કે 4 જુલાઈમાં દેશ-દુનિયામાં વિનાશક ભૂકંપ આવીને જાનમાલને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત રાજકીય દૃષ્ટિએ જોતાં સૂર્ય સાથે મંગળનું ભ્રમણ અનિશ્ચિતતા અને મોટી ઊથલપાથલ સર્જી શકે છે. રાજકીય દૃષ્ટિએ સૂર્ય સત્તાનો કારક ગ્રહ હોવાથી મંગળ સાથે યોગ રચાતાં અશુભ અંગારક રોગ સર્જાય છે જેથી સત્તાસ્થાને રહેલા નેતાઓને પણ અંગારક- ઉત્તેજક સ્થિતિનો સામનો કરવો પડે તેમ પણ જ્યોતિષીએ જણાવ્યુંછે.
તમામ બાર રાશિ પરની શુભાશુભ અસર વિષે માહિતી તેમણે જણાવ્યું કે કર્ક, ધન અને મીન રાશિ માટે આ યોગ તમામ પ્રકારે શુભફળદાયી બનશે. જ્યારે અન્ય રાશિઓમાં માટે મિશ્ર કે અશુભ ફળદાયી બની શકે છે. જેથી જે રાશિ માટે પંચગ્રહી યોગ અશુભ કે મિશ્ર બનવાનો હોય તે રાશિના જાતકોએ ગણેશજીની આરાધના કરવી. જેનાથી અશુભ અસરમાંથી મુક્તિ મળશે.