વારાણસી પહોંચતા જ અરવિંદ કેજરીવાલ પર પોસ્ટર હુમલો
વારાણસી, 15 એપ્રિલ : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ એક મહિના લાંબા ચૂંટણી પ્રચાર માટે વારાણસી પહોંચ્યા છે. અહીં આવતા જ તેમનું સ્વાગત પોસ્ટર હુમલાથી થયું છે. જેમાં તેમને 49 દિવસમાં જ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા બદલ 'ભાગેડુ' કહેવાયા છે.
વારાણસીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ મંગળવાર 15 એપ્રિલ સવારે ટ્રેન દ્વારા વારાણસી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે કાંત રેલવે સ્ટેશન પર તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા.

એક તરફ આપ અને અરવિંદ કેજરીવાલના સમર્થકો તેમનું સ્વાગત ફુલોથી કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ તેમના સ્વાગતમાં રેલવે સ્ટેશનની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને 'ભાગેડુ' કહેવામાં આવ્યા હતા.
આ પોસ્ટર પર શબ્દો હતો કે 'દેખો દેખો દિલ્હી કા ભગૌડા આયા'. આપના સમર્થકોએ મોટી સંખ્યામાં લાગેલા આવા પોસ્ટર્સ દૂર કર્યા હતા. આમ છતાં કેટલાક પોસ્ટર્સ રહી ગયા હતા. આ દરમિયાન વાત વણસે નહીં તે માટે કડક પોલીસ સુરક્ષા પણ રાખવામાં આવી હતી.
આ વખતની લોકસભા ચૂંટણીમાં સૌથી લોકપ્રિય ઉમેદવાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને હરાવવાની પ્રતિજ્ઞા લેનાર અરવિંદ કેજરીવાલ હવે 12 મે સુધી વારાણસીમાં જ રહેવાના છે. તેઓ 23 એપ્રિલે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે. ઉમેદવારી નોંધાવવાનું 17 એપ્રિલથી શરૂ થશે. વારાણસીમાં 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.
આ દરમિયાન તેઓ અમેઠીની મુલાકાત પણ લેશે. જ્યાં આપના ઉમેદવાર કુમાર વિશ્વાસ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 20થી 22 એપ્રિલની વચ્ચે અમેઠી જશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
