અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટર
ગુજરાતની રાધનપુર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કરવામાં આવ્યુ છે.
ગુજરાતની રાધનપુર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાના પોસ્ટર ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. પોલિસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. શહેરમાં કોણે આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે તેની પણ પોલિસ તપાસ કરી રહી છે.

પોલિસે હટાવ્યા પોસ્ટર
એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ અજય પ્રતાપ સિંહે જણાવ્યુ કે અમને એ વાતની જાણકારી મળી છે કે શહેરમાં આ પ્રકારના પોસ્ટર સોશિયલ મીડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. અમે આ પ્રકારના અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશુ. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમે આ મામલાની તપાસ કરી રહી છે. જો કે એ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યુ કે કોણે આ પોસ્ટર્સ શહેરમાં ચિપકાવ્યા છે. પોલિસનું કહેવુ છે કે સોશિયલ મીડિયા દ્વારા આ પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા છે.

મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે લગાવ્યા પોસ્ટર
શહેરમાં અલ્પેશ ઠાકોરનું માથુ વાઢવા અંગે જે પોસ્ટર લગાવાયા છે તેની પાછળ કોનો હાથ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. આ પોસ્ટરમાં લખ્યુ છે કે ઠાકોરના પગલાં મજૂરોના વિરોધમાં છે અને તે કાયરોનું પગલુ છે. આ પ્રકારની હરકત દેશ વિરોધી છે. જાણકારી મુજબ આ પોસ્ટર ચિપકાવનાર સંસ્થાનું નામ મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ છે.

ગુજરાતમાં તણાવ ફેલાવવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં ગુજરાતમાં તમામ યુપી અને બિહારના લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો. આ મામલે અલ્પેશ ઠાકોર પર આરોપ લાગ્યો હતો કે તેમણે લોકોને ભડકાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બની હતી ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વસતા યુપી અને બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
