પ્રજ્ઞાન રોવરે દુનિયાને ચૌકાવી, ચંદ્રની સપાટી પર ઓક્સિજનના પુરાવા શોધ્યા
ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર એક પછી એક મોટા રાઝ ખોલી રહ્યું છે. હવે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ઓક્સિજન હોવાના પુરાવા શોધ્યા છે.
ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરના રસ્તામાં મોટો ખાડો આવી જતા તેનો રસ્તો બદલાયો હતો. હવે આ રસ્તે પ્રજ્ઞાન રોવર વિક્રમે ચંદ્રની સપાટીના કેટલાક નમૂના લીધા છે. જેની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે ચંદ્રની સપાટી પર પૃથ્વી પરના ઘણા તત્વોની હાજરી છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને મંગળવારે ચંદ્રયાન-3ને લઈને વધુ એક અપડેટ લોકો સાથે શેક કરી છે. ઈસરો અનુસાર, રોવર પર લગાવવામાં આવેલા લેઝર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ચંદ્રની સપાટીના નમૂનાઓમાં ઘણા તત્વોની હાજરી શોધી કાઢી છે.
ISRO દ્વારા જારી કરાયેલા અપડેટ અનુસાર, ચંદ્રની સપાટી પર સલ્ફર અને ઓક્સિજનની હાજરી છે. આ ઉપરાંત, ચાંદી, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકાની હાજરીના પણ સંકેત મળ્યા છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 29, 2023
In-situ scientific experiments continue .....
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
જણાવી દઈએ કે, પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કામ કરી રહ્યું છે અને 14 દિવસ કામગીરી કરશે. આ દિવસો દરમિયાન તે ઘણા મહત્વના રિસર્ચ કરશે અને તેના ડેટા પૃથ્વી પર મોકલશે.












Click it and Unblock the Notifications
