ગાંધી જયંતિ પર અભિનેતા પ્રકાશ રાજનું આ ટ્વિટ થઈ રહ્યુ છે વાયરલ
રાજકીય મુદ્દે પોતાના વિચાર રાખનાર બોલિવુડ એક્ટર પ્રકાશ રાજે પણ મહાત્મા ગાંધી વિષે પોસ્ટ લખી છે જે બહુ વાયરલ થઈ રહી છે.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને આજે આખો દેશ 150મી જયંતિ મનાવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધી વિશે પોસ્ટ લખી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ કડીમાં દરેક રાજકીય મુદ્દે પોતાના વિચાર રાખનાર બોલિવુડ એક્ટર પ્રકાશ રાજે પણ મહાત્મા ગાંધી વિષે પોસ્ટ લખી છે જે બહુ વાયરલ થઈ રહી છે. લોકો તેમના ટ્વીટને ખૂબ રિટ્વિટ અને લાઈક્સ પણ કરી રહ્યા છે.
સિનેમાના પદડે પોતાની એક્ટિંગના દિવાના કરી ચૂકેલ પ્રકાશ રાજે પોતાના ટ્વીટર અકાઉન્ટથી ટ્વીટ કર્ય કે ગાંધી જયંતિ, પ્યારા નાગરિકો... શું આજના દિવસે આપણે જય શ્રીરામની હિંસા અને હે રામની અહિંસા પર વિચાર કરી શકીએ. પ્રકાશ રાજના આ ટ્વીટ પર લોકો બહુ રિએક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલિવુડ અને સાઉથ એક્ટર પ્રકાશ રાજે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ પોતાનુ નસીબ અજમાવ્યુ હતુ. જો કે તે ચૂંટણી જીતી શક્યા નહિ.
#Gandhijayanthi .. dear citizens on this day shall we reflect on .....“ the violence of Jai SHREE RAM and the non violence of HEY RAM “ #justasking pic.twitter.com/61OFxBUPda
— Prakash Raj (@prakashraaj) 2 October 2019
અભિનેતા પ્રકાશ રાજ દરેક રાજકીય મુદ્દે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરે છે જેના કારણે તે લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે. જો કે ટ્રોલર્સ તેમને પણ ઘણી વાર આડે હાથો લઈ લે છે. મૉબ લિંચિંગ અને ધર્મના નામ પર થઈ રહેલ હિંસાના વિરોધમાં પ્રકાશ રાજ દરેક મંચ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરે છે.
આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીની 150મી જયંતિ, દેશને ખુલ્લામાં શૌચ મુક્ત ઘોષિત કરશે પીએમ મોદી