Prashant Kishor Injury : રોડ શો દરમિયાન પ્રશાંત કિશોર ઈજાગ્રસ્ત થયા, જાણો કેવી છે હાલત?
Prashant Kishor Injury : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમ છે. તમામ રાજકીય પક્ષોએ સક્રિયતા વધારતાં જન સ્વરાજ પાર્ટીના સ્થાપક અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને આરા ખાતે યોજાયેલ એક રોડ શો દરમિયાન ગંભીર ઈજા પહોંચતા ખળભળાટ મચી ગયો છે.
પ્રશાંત કિશોર હાલમાં પોતાની બિહાર બદલાવ યાત્રા માટે રાજ્યભરમાં સંવાદ અને સભાઓ કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન તે આરા ખાતે આવેલા વીર કુંવર સિંહ સ્ટેડિયમમાં સંબોધન પૂરુ કરતા જ તેમના છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો. તરત જ કાર્યકરો દ્વારા તેમને મંચ પરથી નીચે ઉતારવામાં આવ્યા અને નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ, રોડ શો દરમિયાન પ્રશાંત કિશોર પોતાની કારમાંથી બહાર નમીને સમર્થકોનું અભિવાદન કરી રહ્યા હતા. એ દરમિયાન એક બાઈક સવાર અચાનક તેમની કારની સામે આવી ગયો, જેના કારણે તેમને દરવાજો ઝડપથી બંધ કરવો પડ્યો. આ પ્રયાસ દરમિયાન તેમની પસલીઓમાં ઇજા થઈ. સ્ટેજ પર પહોંચ્યા બાદ દુખાવામાં વધારો થયો અને તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા.
પ્રાથમિક તપાસમાં તેમને પસલીઓમાં ઇજા હોવાની પુષ્ટિ થઈ છે. હાલ સારવાર માટે તેમને પટના રિફર કરવામાં આવ્યા છે. ડોકટરો મુજબ હાલત સ્થિર છે, પરંતુ આગળની સારવાર જરૂરી છે.
આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે પ્રશાંત કિશોર ઈજાગ્રસ્ત થયા હોય. 2023માં પદયાત્રા દરમિયાન પણ તેમને માશપેશીઓમાં ખેંચાવથી મુશ્કેલી પડતી હતી અને લગભગ એક મહિનો યાત્રા સ્થગિત કરવી પડી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
