Maha Kumbh Fire : મહા કુંભમાં ફરીથી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
Maha Kumbh Fire : પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ શંકરાચાર્ય માર્ગ પર આવેલી સેક્ટેર-18માં લાગી છે.
આગ લાગ્યા બાદ આકાશમાં ધૂમાડા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આગ ઇસ્કોન કેમ્પમાં લાગી છે. આગ લાગતા જ ત્યાં ભારે ધૂમાડો ફેલાયો હતો. જો કે, તુરંત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પંડાલમાંથી ધૂમાડો ઊઠતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડના જવાન આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. સીએફઓએ દાવો કર્યો છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
એસપી સિટી સર્વેશકુમાર મિશ્રાએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાની કારણોની તપાસ ચાલુ છે.
જણાવી દઈએ કે, મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના છે. અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મહાકુંભ 2025 દરમિયાન અત્યાર સુધીમાં આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ વખતનો કુંભ લોહિયાળ સાબિત થયો છે. મૌની અમાવસ્યાના શાહી સ્નાનમાં નાસભાગ મચતા 30 લોકોના મોત થયા છે. જો કે સરકારી આંકડાથી વિપરીત મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે.












Click it and Unblock the Notifications
