કેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ
દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે.
દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. કેરળના વન મંત્રી કે રાજુએ જણાવ્યુ કે પલ્લકડાં હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે. તમને જણાવી દઈએ કે અહીં એક ગર્ભવતી હાથણીનુ મોત પાણીમાં ઉભા-ઉભા જ થઈ ગયુ હતુ. આ હાથણીએ એક અનાનસ ખાધુ હતુ જેની અંદર દિવાળીમાં ફોડવાના ફટાકડા ભરેલા હતા. આ ફળ હાથણીના મોઢામાં ફાટી ગયુ ત્યારબાદ હાથણીનુ દર્દનાક મોત થઈ ગયુ. આ ઘટના પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ
આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વિટ કરીને કહ્યુ કે, પલક્કડ જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનો જીવ જતો રહ્યો. આ વિશે લોકોમાં ઘણો ગુસ્સો છે પરંતુ હું તમને આશ્વસ્ત કરવા માંગુ છુ કે તમારી ચિંતાઓ વ્યર્થ નહિ જાય. ન્યાયની જીત થશે. તેમણે લખ્યુ કે ત્રણ શંકાસ્પદો પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ ચાલુ છે. પોલિસ અને વન વિભાગ સંયુક્ત રીતે ઘટનાની તપાસ કરશે. જિલ્લા પોલિસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળનો પ્રવસા કર્યો. અમે દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.

અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ
પિનરાઈ વિજયને કહ્યુ, અમે માનવ-વન્યજીવ સંઘર્ષની વધતી ઘટનાઓ પાછળના કારણોનુ સમાધાન કરવાનો પણ પ્રયાસ કરીશુ. જળવાયુ પરિવર્તન સ્થાનિક સમુદાયો અને જાનવરો બંને પર પ્રતિકૃળ પ્રભાવ નાખી શકે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ખોટા સમાચારો વિશે સીએમ પિનરાઈએ કહ્યુ કે અમને એ વાતનુ દુઃખ છે કે આ ઘટનાને અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ છે. ખોટા વિવરણો અને અધૂરી સચ્ચાઈને પૂરુ સત્ય બનાવવાની કોશિશ કરી છે. અમુક લોકોએ આનો કટ્ટરતા વધારવા માટે ઉપયોગ કર્યો.

નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો
મુખ્યમંત્રીએ કહ્યુ કે કેરળ એક એવો સમાજ છે જે અન્યાય સામે નારાજગીનુ સમ્માન કરે છે. આમાં સારી વાત એ છે કે આપણને ખબર છે કે અન્યાય સામે આપણે પોતાનો અવાજ ઉંચો કરી શકીએ છે. આપણે બધા પોતાની રીતે અન્યાય સામે લડનારા લોકો છે. તમને જણાવી દઈએ કે સાયલન્ય વેલી જંગલમાં હાથણીના દુઃખદ મોતનો ખુલાસો વન વિભાગના એક અધિકારી દ્વારા પોતાની ફેસબુક પોસ્ટ પર ભાવુક ટિપ્પણી પોસ્ટ કર્યા બાદ થયો હતો. તેમણે લખ્યુ હતુ, જ્યારે અમે તેને જોઈ તો તે નદીમાં ઉભી હતી. તેનુ માથુ પાણીમાં ડૂબેલુ હતુ. તેને પોતાની છઠ્ઠી ઈન્દ્રિયથી સમજાઈ ગયુ હતુ કે તે મરવાની છે. તેણે ઉભા ઉભા જ જળસમાધિ લઈ લીધી. તેમણે નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
