યોગી આદિત્યનાથને યુપીને સીએમ પદેથી ઉતારવાની તૈયારીઓ? જાણો અખિલેેશ યાદવના દાવામાં કેટલો દમ?
ઉત્તર પ્રદેશમાંથી બીજેપીને જાકારો મળ્યા બાદ હવે સતત યોગી આદિત્યનાથની ખુરશીને લઈને ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે.
અખિલેશ યાદવના દાવાએ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે ફરી એકવાર સીએમ યોગી આદિત્યનાથને હટાવવાનો દાવો કર્યો છે. તેમણે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નામે આ દાવો કર્યો છે.

અખિલેશ યાદવે કહ્યું કે, આરોગ્ય મંત્રી ઈચ્છે છે કે મુખ્યમંત્રી પદ છોડે અને પોતે મુખ્યમંત્રી બની જાય. ગુરુવારે તેમણે આ દાવો કર્યો હતો જ્યારે નેતાઓ મોટા પાયે સપામાં જોડાઈ રહ્યા હતા.
સપામાં સામેલ થનારા નેતાઓ અંગે અખિલેશ યાદવે કહ્યું કે, આજે જે લોકો સપામાં જોડાયા છે તે તમામ લોકોનું સ્વાગત છે. મને ખુશી છે કે સાંસદ હાજી જી સપામાં જોડાયા છે.
અખિલેશ યાદવે કહ્યું કે, સહારનપુર અને આસપાસના વિસ્તારના લોકો આજે મોટા પાયે સપા સાથે એકઠા થયા છે. જ્યારે પણ સપાની સરકાર આવશે ત્યારે અમે એક્સપ્રેસ વે દ્વારા સહારનપુરને લખનૌથી જોડીશું.
હાથરસ કેસ પર નિવેદન આપતા તેમણે કહ્યું કે, ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, તે દુઃખદ છે. આ સમગ્ર જવાબદારી સરકારી વહીવટીતંત્રની હતી. આવા કાર્યક્રમોમાં હંમેશા આમંત્રિત કરતાં વધુ લોકો આવે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
