Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ મંદિરના પક્ષમાં નથી મોદી સરકાર, પરિણામ ભોગવવું પડશે

કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે

કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે અને રામ મંદિર નિર્માણ શરુ થશે. તેમને કહ્યું કે ભાજપ રામ મંદિર નિર્માણમાં રસ નથી લઇ રહી કારણકે તેઓ આ મુદ્દાને ચૂંટણી માટે જીવિત રાખવા માંગે છે. મહંત નરેન્દ્ર ગીરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે વિહિપની ધર્મ સંસદમાં અખાડા પરિષદને કોઈ આમંત્રણ નથી મળ્યું.

kumbh mela

મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે ધર્મ સંસદ ઘ્વારા પણ રામ મંદિર મુદ્દે કોઈ સમાધાન નહીં નીકળે. તેમને કહ્યું કે આ સંસદ દર વર્ષે થાય છે. એટલા માટે અખાડા પરિષદ જલ્દી એક બેઠક બોલાવીને કુંભ મેળા પછી એક લાખ નાગા સાધુઓ સાથે અયોધ્યા કૂચ કરશે. મહંત ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધા જ સંતો જેમાં નાગા સન્યાસી અને બીજા સાધુ સંતો એક મહિના સુધી અયોધ્યામાં રામ મંદિર અંગે ડેરો જમાવશે. ત્યારપછી મંદિરનું નિર્માણ કામ પણ શરુ થશે.

29 જાન્યુઆરીથી સુનાવણી શરુ થશે

આપને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગુરુવારે સુનાવણી ફરી એકવાર 29 જાન્યુઆરી સુધી લંબાઈ ગઈ. 29 જાન્યુઆરીથી સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ આ મામલો સંભાળશે કારણકે આ પહેલા પાંચ જજોની સંવિધાનિક પીઠમાંથી જસ્ટિસ લલિતે સુનાવણી પહેલા પોતાને અલગ કરી દીધા. ત્યારપછી આખા મામલાની સુનાવણી 29 જાન્યુઆરી સુધી રોકી દેવામાં આવી.

આ પણ વાંચો: કુંભ મેળાનું બજેટ મહાકુંભ કરતાં પણ ત્રણ ગણું વધારે છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X