મારા રિપોર્ટ પર 2 વર્ષ પહેલાં કાર્યવાહી થઈ હોત તો મૂસેવાલા જીવિત હોતઃ AAP MLAનો ખુલાસો
પંજાબના ગેંગસ્ટર પર પૂર્વ આઈજી અને આપ એમએલએ કુંવર વિજય પ્રતાપ સિંહ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં પંજાબ સરકારને સોંપેલા તેમના રિપોર્ટ પર કાર્યવાહી કરાઈ હોત તો પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા આજે જીવતા હ
પંજાબમાં નેતાઓ અને ગેંગસ્ટર્સની ઉચ્ચસ્તરીય તપાસ કરનાર પૂર્વ આઈજી અને તાત્કાલિન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપ સિંહનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમણે પંજાબની ત્યારની કોંગ્રેસ સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો જો આ રિપોર્ટ પર કાર્યવાહી થઈ હોત તો આજે પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા જીવતો હોત. પંજાબમાં ગેંગસ્ટર્સ રાજકારણીઓના આશિર્વાદ હેઠળ જ જીવી રહ્યા છે. વિજય પ્રતાપે જણાવ્યું કે આ મામલે તેમણે 18 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, પરંતુ તેના પર કોઈએ વાત પણ ના કરી અને જાહેર પણ ના કરાયો. રિપોર્ટમાં 2009માં સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તત્કાલીન નાણામંત્રી કેપ્ટન કંવલજીત સિંહનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે કોઈ અકસ્માત નહીં બલકે યોજનાબદ્ધ હત્યા હતી.

વર્ષ 2021 સુધી સંગઠિત અપરાધ નિયંત્રણ એકમના આઈજીપી રહેલા કુંવર વિજય પ્રતાપ સિંહે રિપોર્ટમાં કહ્યું કે ગેંગસ્ટર જગ્ગૂ ભગવાનપુરિયા અકાળી દળના એક મોટા નેતાનો આશ્રિત છે. તે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના ષડયંત્રકારોમાંનો એક છે. ભગવાનપુરિયાને રોપડથી અમૃતસર જેલમાં એક યોજના અંતર્ગત શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે સંસદીય ચૂંટણીની ઠીક પહેલાં (23 માર્ચ 2019) ભગવાનપુરિયાને અમૃતસર જેલમાં સ્થાનાંતરિત કરવાના તર્ક પર સવાલ ઉઠાવ્યા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નેતાએ રાજનૈતિક લાભ માટે પોતાના બાહુબળનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી ગેંગસ્ટરને સ્થાનાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એટલું જ નહીં 2014માં અકાળી દળ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનાર પ્રભાવશાળી નેતાની મીટિંગ પણ ગેંગસ્ટર દ્વારા રાખવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે જેલમાં બેઠેલા લોકો બહાર રાજનેતાઓની મીટિંગ કરાવી રહ્યા હતા. કુંવરે પંજાબ સરકારના આદેશ પર 11 નવેમ્બર 2019ના રોજ તપાસ શરૂ કરી હતી અને 18 ફેબ્રુઆરી 2020ના રોજ સરકારને રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટને આઈજી અને કેટલાય જિલ્લાના એસએસપી પાસેથી જાણકારી લઈને તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે રિપોર્ટ દબાવી દીધો.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
