Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS: શું તમે જાણો છો દરરોજ કેટલા પત્રો આવે છે મોદીના ઘરે?

નવી દિલ્હી (વિવેક શુક્લા): દેશમાં પરિવર્તનની મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકની આશા નરેન્દ્ર મોદી સાથે જોડાઇ ગઇ છે. દરેક પોતાની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા ઇચ્છે છે અને તેનું શ્રેષ્ઠ માધ્યમ પત્ર છે. નરેન્દ્ર મોદી પહેલાં જેટલા પણ વડાપ્રધાન રહી ચૂકેલા તેમની પાસે એક દિવસમાં 500થી વધુ પત્રો ક્યારેય આવ્યા નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે નરેન્દ્ર મોદી પાસે દરરોજ કેટલા પત્રો આવતા હશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ 7 રેસકોર્સ પર દરરોજ લગભગ બે હજાર પત્રો આવે છે. પહેલાં ક્યારેય કોઇ વડાપ્રધાનના સમયગાળા દરમિયાન તેમના ઘર પર આટલા પત્ર આવ્યા નથી. જાણકારોએ જણાવ્યું હતું કે તેમાંથી 75 ટકા પોસ્ટકાર્ડ હોય છે.

7 રેસ કોર્સ પર આવનાર પત્ર દેશના ખૂણેખૂણેથી આવે છે. પહેલા વડાપ્રધાનમંત્રીની પાસે આવનાર બધા પત્ર રાજધાનીના નિર્માણ ભવનની પોસ્ટઓફિસમાં આવતા હતા. અહીંથી તેમને પછી વહેંચીને વડાપ્રધાનમંત્રીના આવાસ પર મોકલવામાં આવતા હતા. લગભગ 5 વર્ષ પહેલાં વડાપ્રધાનમંત્રી માટે આવનાર પત્ર સીધા પીએમઓ અથવા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે.

દરરોજ 2 હજાર પત્રો આવે છે

દરરોજ 2 હજાર પત્રો આવે છે

નરેન્દ્ર મોદી પહેલાં જેટલા પણ વડાપ્રધાન રહી ચૂકેલા તેમની પાસે એક દિવસમાં 500થી વધુ પત્રો ક્યારેય આવ્યા નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે નરેન્દ્ર મોદી પાસે દરરોજ કેટલા પત્રો આવતા હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ 7 રેસકોર્સ પર દરરોજ લગભગ બે હજાર પત્રો આવે છે.

પીએમનું એડ્રેસ

પીએમનું એડ્રેસ

આમ તો પીએમનું એડ્ર્રેસ શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાનમંત્રી, 7 રેસકોર્ડ રોડ, નવી દિલ્હી છે. હજારો પત્રો એવા આવે છે, જેમાં પુરૂ એડ્રેસ પણ હોતું નથી. જો તમારા પત્રમાં ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે, તો પણ ટપાલી તમારા પત્રને 7 આરસીઆર પહોંચાડી દેશે. આવું પણ થઇ રહ્યું છે. તમામ પત્રોમાં ફક્ત આટલું જ લખ્યું છે, વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હી.

આંદોલન સાથે જોડાયેલા લોકો

આંદોલન સાથે જોડાયેલા લોકો

ટપાલ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનમંત્રી પાસે આવનાર પત્રોમાં લોકો પોતાની અંગત સમસ્યાઓથી માંડીને દેશ-દુનિયાઓના મુદ્દા ઉઠાવે છે. ઘણીવાર કોઇ આંદોલન સાથે જોડાયેલા લોકો એકસાથે હજારો પત્ર વડાપ્રધાનના આવાસ પર મોકલે છે જેથી તેમની વાતની નોંધ લેવામાં આવે. બધા પત્રોને જોવામાં આવે છે. જો જરૂરિયાત હોય તો તેમના પર પગલાં પણ ભરવામાં આવે છે.

કેમ મોકલે છે પત્ર

કેમ મોકલે છે પત્ર

દિલ્હી વિધાનસભામાં એકાળી દળના ધારાસભ્ય જીતેન્દ્ર સિંહ શંટી કહે છે કે નરેન્દ્ર મોદીના આવાસ પર પત્ર એટલા માટે જનતા મોકલી રહી છે કારણ કે તેમના પર લોકોને વિશ્વાસ છે. તેમને બાકીના નેતાઓની માફક ગણતાં નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X