તમારા 1 રુપિયામાં છે પાકિસ્તાનને બરબાદ કરવાની તાકાત. જાણો કેવી રીતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવી સ્કીમ શરુ કરી છે જેના દ્વારા તમે દેશના સૈનિકો અને શહીદોની મદદ માટે માત્ર એક રુપિયા સુધીનું દાન આપી શકો છો....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવી સ્કીમ શરુ કરી છે જેના દ્વારા તમે દેશના સૈનિકો અને શહીદોની મદદ માટે માત્ર એક રુપિયા સુધીનું દાન આપી શકો છો.

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કીલ' ની સાથે જ ઇંડિયન આર્મી માટે શરુ કરવામાં આવેલી એક ખાસ સ્કીમની પણ ચર્ચા ચાલી રહી છે. ઇંડિયન આર્મી બેટલ કેઝ્યુઅલ્ટીઝ એંડ વેપન પરચેઝ સ્કીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી.
સિયાચીન ઘટના બાદ શરુ થઇ હતી સ્કીમ
આ સ્કીમની શરુઆત આ વર્ષના ફેબ્રુઆરીમાં સિયાચીનમાં થયેલી ઘટના બાદ થઇ હતી. આ એ જ ઘટના હતી જેમાં લાંસ નાયક હનુમનતપ્પા સહિત 10 જવાન સિયાચીનમાં આવેલા તોફાનને કારણે શહીદ થઇ ગયા હતા.
આ સ્કીમની જાણકારી આપતો એક વૉટ્સઍપ મેસેજ સપ્ટેમ્બરમાં ઉરી હુમલા બાદ વાયરલ થવાનો શરુ થયો હતો.
લોકોને શરુઆતમાં આ માત્ર એક અફવા લાગતી હતી પરંતુ બાદમાં ભારતીય લશ્કરે પોતે આ બાબતે સ્પષ્ટીકરણ આપ્યુ હતુ. ભારતીય લશ્કરના આ સ્પષ્ટીકરણથી બધાને ખબર પડી કે આ અફવા નથી પણ સત્ય છે.

માત્ર સારવાર જ નહિ પરંતુ હથિયાર પણ ખરીદાશે
પીએમ મોદીની આ શરુઆતથી માત્ર ઘાયલ સૈનિકોની સારવાર જ નહિ પરંતુ આ રકમથી સેના માટે હથિયારો પણ ખરીદાશે. વાસ્તવમાં, લોકો તરફથી પીએમ મોદીને આ પ્રકારનું એકાઉંટ ખોલવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે નવી દિલ્હીમાં સિંડીકેંટ બેંકમાં આ સ્કીમ માટે એક એકાઉંટની શરુઆત કરી.
તો એક વર્ષમાં થશે 36,000 કરોડ રુપિયા
આ સ્કીમની સૌથી આકર્ષક વાત એ છે કે તમે એક રુપિયાની ન્યૂનતમ રકમ પણ આ ખાતામાં જમા કરાવી શકો છો. દેશની વસ્તી 130 કરોડ છે. જો દરેક જણ રોજ એક રુપિયો જમા કરાવે તો આ રકમ દર મહિને 3000 કરોડ અને પ્રતિ વર્ષ 36,000 કરોડ પર પહોંચી શકે છે. 36,000 કરોડની રકમ પાકિસ્તાનના કુલ રક્ષા ખર્ચથી ઘણી વધારે છે.

સંરક્ષણમંત્રીએ આપી મંજૂરી
આ ફંડને સેનાની એડજુટંટ જનરલ બ્રાંચ દ્વારા મેનેજ કરવામાં આવે છે. માત્ર ઘાયલ સૈનિકો જ નહિ પરંતુ શહીદોના પરિવારોને પણ આ ફંડ દ્વારા મદદ કરવામાં આવે છે. ગયા મહિને સપ્ટેમ્બરમાં સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે આની સાથે જોડાયેલી એક એસઓપી એટલે કે સ્ટાંડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને મંજૂરી આપી દીધી છે.

હજુ સુધી માત્ર 1.4 કરોડ રુપિયા જમા
તમને જાણીને આશ્ચર્ય થશે કે કરણ જોહર જો આ સ્કીમમાં 5 કરોડ રુપિયા જમા કરાવે તો તે રકમ ફંડમાં રહેલી રકમ કરતા 4 ગણી વધુ હશે. ઇડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ બે મહિનામાં આ સ્કીમમાં જે રકમ જમા થઇ છે તે માત્ર 1.4 કરોડ રુપિયા જ છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
