For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી મિસાઇલનું સ્થાન લેશે વધુ શક્તિશાળી પ્રહાર : DRDO

|
Google Oneindia Gujarati News

prithvi-missiles
નવી દિલ્હી, 1 જુલાઇ : ભારતે પોતાની મારક ક્ષમતા વધારવા માટે 150 કિલોમીટરની રેન્જવાળી પૃથ્વી મિસાઇલની જગ્યાએ પ્રહર મિસાઇલને સામેલ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. ભારતીય રક્ષા અને અનુસંધાન સંગઠન (ડીઆરડીઓ) પ્રમુખ અવિનાશ ચંદરે જણાવ્યું કે અમે આપણી ક્ષણતા વધારવા માટે 150 કિલોમીટરની રેન્જવાળી પૃથ્વી મિસાઇલના સ્થાને વધારે સક્ષમ અને ચોક્કસ મિસાઇ પ્રહારનો સમાવેશ કરીશું. પૃથ્વીની સેવાઓ દૂર કરીને તેને લાંબા અંતરની મારક ક્ષમતા માટે વિકસાવવામાં આવશે.

ડીઆરડીઓ પ્રમુખે જણાવ્યું કે પૃથ્વી મિસાઇલને સેવામાંથી દૂર કર્યા બાદ 100થી 150 કિલોમીટરની મારક ક્ષમતા માટે પ્રહાર મિસાઇલ શ્રેષ્ઠ છે. 150 કિલોમીરટરની મારક ક્ષમતાવાળી પ્રહાર સિંગલ સ્ટેજ મિસાઇલ છે. જેમાં ઘન ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઆરડીઓએ પ્રથમવાર તેનું પરિક્ષણ ઓરિસ્સા રેન્જમાંથી 2011માં કર્યું હતું. આ મિસાઇલ 250થી 350 કિલોમીટરની રેન્જમાં મારી શકે છે.

પ્રહાર મિસાઇલને વધારે વિકસીત કરવાનું કાર્ય ચાલુ જ છે. તેના ઉપયોગ માટે સેનાને તેના પરિક્ષણની દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવશે. જો તેના ઉપયોગને મંજૂરી મળી જશે તો પ્રહારને આર્ટિલરી કોરમાં સામેલ કરવાની યોજના છે.

English summary
Prithvi missiles to be replaced by more capable Prahar : DRDO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X