CAA: રાજઘાટ પહોંચ્યા કોંગ્રેસ નેતા, સોનિયા-રાહુલ ગાંધીએ વાંચી બંધારણની પ્રસ્તાવના

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહી છે.

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ સત્યાગ્રહમાં શામેલ થવા માટે રાજઘાટ પહોંચી ગયા છે. તેમના ઉપરાંત અહીં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, કમલનાથ અને આનંદ શર્મા પણ હાજર છે. આ મુદ્દે પ્રિયંકાની સતત સક્રિયતા બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી ધરણા પર બેઠી છે.

priyanka gandhi

આ પહેલા આ કાર્યક્રમ 28 ડિસેમ્બરે થવાનો હતો પરંતુ પ્રિયંકા ગાંધીના કારણે આજે આ ધરણા થયા. નક્કી કાર્યક્રમ મુજબ કોંગ્રેસ આજે બપોરે 3 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી શાંતિપૂર્ણ સાંકેતિક ધરણા પર બેસશે. રાજસ્થાનમાં આની કમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના હાથમાં લીધી છે.

સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલિસની કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યુ કે જનતાનો અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનુ તાંડવ થઈ રહ્યુ છે. એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદો દેશની ગરીબ જનતા સામે છે, પ્રિયંકાએ છાત્રો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ધરપકડની નિંદા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X