For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA: રાજઘાટ પહોંચ્યા કોંગ્રેસ નેતા, સોનિયા-રાહુલ ગાંધીએ વાંચી બંધારણની પ્રસ્તાવના

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ સત્યાગ્રહમાં શામેલ થવા માટે રાજઘાટ પહોંચી ગયા છે. તેમના ઉપરાંત અહીં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, કમલનાથ અને આનંદ શર્મા પણ હાજર છે. આ મુદ્દે પ્રિયંકાની સતત સક્રિયતા બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી ધરણા પર બેઠી છે.

priyanka gandhi

આ પહેલા આ કાર્યક્રમ 28 ડિસેમ્બરે થવાનો હતો પરંતુ પ્રિયંકા ગાંધીના કારણે આજે આ ધરણા થયા. નક્કી કાર્યક્રમ મુજબ કોંગ્રેસ આજે બપોરે 3 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી શાંતિપૂર્ણ સાંકેતિક ધરણા પર બેસશે. રાજસ્થાનમાં આની કમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના હાથમાં લીધી છે.

સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલિસની કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યુ કે જનતાનો અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનુ તાંડવ થઈ રહ્યુ છે. એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદો દેશની ગરીબ જનતા સામે છે, પ્રિયંકાએ છાત્રો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ધરપકડની નિંદા કરી છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામ પર સીએમ રઘુવર દાસનુ નિવેદનઃ આ પાર્ટીની નહિ મારી હાર છેઆ પણ વાંચોઃ ચૂંટણી પરિણામ પર સીએમ રઘુવર દાસનુ નિવેદનઃ આ પાર્ટીની નહિ મારી હાર છે

English summary
Priyanka Gandhi reaches Rajghat in delhi for Satyagraha against CAA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X