પ્રિયંકા ગાંધી: આ સમગ્ર મામલે મારે મારા પતિ સાથે કોઇ સંબંધ નથી!
પ્રિયંકા ગાંધીએ પતિ રોબર્ટ વાડ્રાના આરોપોને રાજકીય કાવતરું ગણાવીને કંઇક આ રીતે કર્યો પોતાનો બચાવ. વિગતવાર જાણો.
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિઝનેસમેન રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે તેમણે ગેરકાનૂની રીતે 50.5 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર દ્વારા 2015માં બેસાડવામાં આવેલા આયોગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ મામલે પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે તેમના પતિ વિરુદ્ધ રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. અને કે સંદિગ્ધ દસ્તાવેજ પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તેવું તેમને જણાવ્યું.

પ્રિયંકાનું કહેવું છે કે હરિયાણાની જમીનના તમામ રૂપિયા તેણે પોતે ભર્યા છે. તે પૈસા અને પતિ રોબર્ટ વાડ્રાની કે તેની કોઇ કંપની સાથે કોઇ સંબંધ નથી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોબર્ટ વાડ્રાને ડીએલએફથી જે પૈસા મળ્યા તેનો એક ભાગથી તેમની પત્નીએ હરિયાણાના ફરિદાબાદમાં પ્રોપર્ટી ખરીદી છે. પ્રિયંકાએ આ મામલે સ્પષ્ટતા આપી છે કે આ જમીન ખરીદવા માટે પ્રિયંકાએ તેની દાદી ઇન્દિરા ગાંધીની પ્રોપર્ટીમાંથી આવેલા પૈસાનો ઉપયોગ કર્યો છે. વધુમાં પ્રિયંકા કહ્યું કે તેણે 4 ટકાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે.
પ્રિયંકા પર આરોપ છે કે 28 એપ્રિલ 2006ના રોજ પ્રિયંકા ગાંધીએ 5 એકર જમીન હરિયાણાના ફરિદાબાદ જિલ્લાના અમિપુર ગામમાં ખરીદી હતી. તે માટે તેમણે 3 લાખ રૂપિયા પ્રતિ એકર હિસાબે 15 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જમીનમાં તેમના પતિ પૈસા લાગ્યા હોવાનો આરોપ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
