મફત ભેટનું વચન ન આપે રાજકીય પક્ષો: સુપ્રિમ કોર્ટ

ન્યાયમૂર્તિ પી સતશિવમની અધ્યક્ષતાવાળી સવોચ્ચ કોર્ટની પીઠે કહ્યું હતું કે આ પ્રકારના દિશા-નિર્દેશ ચૂંટણી દરમિયાન નિષ્પક્ષતા ટકાવી રાખવા માટે જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઘોષણા-પત્રમાં જનતાને મફત ભેટ આપવાના વચનથી લોકોને પ્રભાવિત કરી શકે છે, અને તેનાથી નિષ્પક્ષ ચૂંટણી બાધિત થઇ શકે છે.
કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા જનતાને ટેલીવિઝન તથા લેપટોપ સહિત અન્ય ભેટોનું વચન પ્રતિનિધિ એક્ટની કલમ 123 અંતર્ગત એક ભ્રષ્ટ પરંપરા છે. કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય એક અરજીને નકારી કાઢતાં સંભળાવ્યો હતો. અરજીમાં તમિલનાડુની રાજકીય પાર્ટી દ્વારા મફતમાં જનતાને ટેલીવિઝન આપવાના વચનને ભ્રષ્ટ પરંપરા જાહેરાત કરવાનો અનુરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
