Punjab : અંબેડકર પ્રતિમાના અપમાન પર વિવાદ, ભાજપ-કોંગ્રેસે કેજરીવાલ પર ફેક દલિત પ્રેમનો આરોપ મુક્યો
Punjab : પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટી હાલ ડૉ. બી.આર. અંબેડકરની પ્રતિમાના અપમાનને લઈને ભારે વિરોધનો સામનો કરી રહી છે.
પંજાબના અમૃતસરમાં 26 જાન્યુઆરીએ 33 ફૂટ ઊંચી અંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના પોલીસ સ્ટેશનની નજીક બની હતી.

આ ઘટના બાદ રાજકીય દળોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ મૂકતા દલિત સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ ઘટનાને દિલ તોડનારી ગણાવી અને પંજાબ સરકારની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કેજરીવાલને એન્ટી-દલિત ગણી દલિત પ્રતીનિધિત્વ પ્રત્યેની તેની અસમર્થતાના અગાઉના કિસ્સાઓ પણ ઉઠાવ્યા. BJPએ AAPના દલિત સમર્થનની દાવાને નકલી ગણાવ્યા.
આ મુદ્દે આપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. દિલ્હી BJPના અધ્યક્ષ વિરેનદ્ર સચદેવા અને અન્ય નેતાઓએ કેજરીવાલના નિવાસ નજીક વિરોધ દર્શાવ્યો અને તેની રાજીનામાની માંગણી કરી. BJPએ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, કેજરીવાલ સિંહાનુભૂતિ મેળવવા માટે પોતે જ પોતાને નિશાન બનાવી શકે છે.
આ મુદ્દે કોંગ્રેસ પણ BJP સાથે સંમત જોવા મળી. પંજાબના કોંગ્રેસ નેતાઓ સાંસદ ગુર્જીત સિંહ ઔજલા અને સિનિયર નેતા રાજકુમાર વર્કાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કડક શબ્દોમાં આ ઘટના નીંદનીય ગણાવી. તેમણે આ માટે તપાસની માંગણી કરી અને ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોનું રક્ષણ કરવાની અપીલ કરી.
AAP સરકાર હવે તમામ બાજુઓથી દબાણમાં છે. વિરોધ પક્ષોએ તેમનું દલિત સમુદાય પ્રત્યેનું વલણ અને કાયદો-વ્યવસ્થાની નિષ્ઠાને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંજાબમાં અનેક દલિત સંગઠનોએ આ ઘટના વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો છે અને આરોપીઓ પર ત્વરિત કાર્યવાહી તેમજ રાજ્યભરમાં ડૉ. અંબેડકરની તમામ પ્રતિમાઓની સુરક્ષાની માંગણી કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કેજરીવાલ પર ખાલિસ્તાની તત્વો સાથે જોડાણનો આરોપ મુક્યો છે. હવે મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.
વિપક્ષ સતત AAPની કાયદો-વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાને અને દલિત સમુદાય પ્રત્યેની સાચી લાગણીઓને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. રાજ્યભરમાં આક્રોશ વધતો જાય છે અને લોકો આ સુનિશ્ચિત કરવા માંગે છે કે આવો બનાવ ફરીથી ન બને.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
