Pulwama: ફેસબુક પર વિવાદિત પોસ્ટ બાદ મહિલા ટીચર લાપતા
Pulwama: ફેસબુક પર વિવાદિત પોસ્ટ બાદ મહિલા ટીચર લાપતા
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરનાર ટીચર લાપતા થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે મહિલા ટીચર રવિવારે સવારથી લાપતા થઈ ગઈ છે, વાંધાજનક ટિપ્પણી કરી હોવાના કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જે બાદ તેની ટીકા થવા લાગી હતી. મહિલા ટીચરની ફેસબુક પોસ્ટ બાદ કોલેજ પ્રશાસને તેને સસ્પેન્ડ કરી દીધી હતી.
ફેસબુક પર વિવાદિત પોસ્ટ બાદ મહિલા ટીચરને રેપની અને જાનથી માી નાખવાની ધમકી મળી રહી હતી. ફેસબુક યૂઝર્સ સતત તેને ધમકીભરી કોમેન્ટ લખી રહ્યા હતા. જે બાદથી રવિવારે મહિલા ટીચર લાપતા થઈ ગઈ છે. જણાવી દઈએ કે શનિવારે કોલેજમાંથી સસ્પેન્ડ થયા બાદ પ્રોપી બેનરજી વિરુદ્ધ સેક્શન 505 અને આઈટી એક્ટ 66 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી. જાણકારી મુજબ ગુવાહાટીના આઈકોન એકેડમી જૂનિયર કોલેજમાં અંગ્રેજી વિભાગની સહાયક પ્રોફેસરના રૂપમાં કામ કરનાર પાપ્રી બેનરજીએ આતંકી હુમલા પર વિવાદિત ટિપ્પણી કરી હતી.
પ્રોફેસર બેનરજીએ 15 ફેબ્રુઆરીએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'આતંકવાદ ઈસ્લામી થઈ શકે છે, પરંતુ કર્મ બિલકુલ ભારતીય અવધારણા છે.' આસિસ્ટન્ટ પ્રોફેસર પપરી જે બેનજીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, '45 યુવા બહાદુરને કાલે મારવામાં આવ્યા. આ કોઈ જંગ નથી. તેમને તો લડવાનો મોકો પણ ન આપવામાં આવ્યો. આ ઉચ્ચતરીય કાયરતા વાળી હરકત છે. આ ઘટનાએ દરેક ભારતીયના દિલ તોડી મૂક્યાં છે. પરંતુ, શું સુરક્ષાબળોએ ઘાટીમાં આ કામ જ નહોતું કર્યું. તમે તેમની મહિલાઓ સાથે બળાત્કાર કર્યો. તમે તેમના બાળકોને અપંગ બનાવ્યા, તેમની હત્યા કરી.. તમે તેમના પુરુષોનો વધ કર્યો.. તમારી મીડિયા સતત તેમની રાક્ષસ સાબિત કરવા પર તુલ્યું છે... અને તમને લાગે છે કે આનો પ્રતિકાર નહિ થાય? શું તમે જાણો છે? આતંકવાદ ઈસ્લામી હોય શકે છે, પરંતુ કર્મ બહુ ભારતીય, સનાતન અવધારણા છે...'
આ પણ વાંચો- હવે થશે 'Terror 60'નો ખાત્મો, ડરેલ પાકિસ્તાન લૉન્ચ પેડથી આતંકીઓને હટાવવા લાગ્યું